________________
તેના દુઃખ દૂર કરો. આ કરૂણ આક્રંદ સંભળાતું નથી.” સૈનિકો બ્રાહ્મણને લઈને આવ્યા. બ્રાહ્મણ રાજાને કહે, “મારો દીકરો મરી ગયો છે. ગઈકાલે સાંજે સાપ કરડયો... શરીર લીલુછમ બની ગયું છે.
સજ્જન માણસના હૃદય માખણ જેવા હોય છે જે બીજાના દુખને જોઈને દ્રવી જાય છે. જગતના જીવોના દુઃખ રૂપી અગ્નિથી એનું હૃદયરૂપી માખણ પીગળી ઉઠે છે.
બ્રાહ્મણ મંગળ અગ્નિ માંગે છે. સાગર દ્રવી ઉઠયો કહે, ગાંડા, મરેલા કાંઈ જીવતા થયા છે ખરા? બ્રાહ્મણ કહે, ગઈ રાત્રે મેં કુળદેવીને પ્રસન્ન કરી. તેણે કહ્યું હું બચાવું પણ મંગળઅગ્નિ લઈ આવ. હું આખા ગામમાં ફર્યો પણ ન મળ્યો. આ મંગળ અગ્નિ એટલે જેના ઘરમાં એક પણ મરણ ન થયું હોય એના ઘરનો અગ્નિ.
સગર કહે, “બ્રાહ્મણ, તમે શું વિચાર કરો છો અમારા કુટુંબમાં ય ઘણા મરણ થયા છે. અરે! તમે સમજો. કુળદેવીએ તમને પ્રતિબોધ કરવા જ આ કહ્યું.... આખું વિશ્વ પ્રતિક્ષણ બદલાય છે, જન્મો ને મરો. ભૂદેવ! મરણ તો બધાને આવવાનું જ” અને આ જ સમયે બધા નોકર-ચાકરો રોતારોતા આવે છે. '
સગર પૂછે છે રડો છો કેમ? શું થયું? વાત કરી ૬૦,૦૦૦ ને દેવતાએ અગ્નિથી બાળી નાખ્યા છે. આટલી બધી શિખામણ પેલા બ્રાહ્મણઈન્દ્રને આપવા છતાં આ વાત સાંભળતા જ સગર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org