________________
બીજાના વાંકે આપણે કષાય કરશું તો આપણે જ દંડાશું.
ગચ્છાધિપતિશ્રીએ એક વાત લખી કે ન્યાય કોને કહેવાય? કોઈએ લાખ રૂપિયા દબાવી દીધા હોય તો તે પાછા મેળવવા લડવાનું કેસ કરવાનો તે લૌકિક ન્યાય... પણ લોકોત્તર શાસનમાં જ્યાં કષાય હોય ત્યાં ન્યાય ન હોય... સ્વ પરનું અહિત તે અન્યાય, હિત તે ન્યાય. કષાયનો હાસ, આત્માનો શુભ પરિણામ તે જ જાય. હરિભદ્રસૂરિ જેવા પણ આ કષાયમાં ચડી ગયા બાંયો ચડાવી દીધી. આટલા મહાન પુરુષ પણ આવેશમાં ચડી ગયા. બોદ્ધોના ગુના પર એમણે કષાય કર્યો.
અગ્નિશમ તાપસ ૩-૩ માસક્ષમણના પારણા ચૂકાઈ જાય..... અહીં બન્ને પારણા સુધી પરિણામ સારા રાખ્યા પણ ત્રીજા પારણે Down. ગુસ્સે થઈ ગયા. આ વૈરી જ છે. હવે એને બતાવી દઉં. વાંક રાજકુમારનો છે અને કષાય પોતે કર્યો. આ મનને બહુ પકડવું પડશે, નિયંત્રણ, સમતુલામાં રાખવું પડશે. આપણી તો ડાગળી ઘડીકમાં ખસકી જાય છે ને ! ક્ષપકશ્રેણી એમનેમ નથી આવતી. ચામડી ઉતારનાર પર ભાઈ કરતા ભલેરાનો ભાવ આવવો જોઈએ.
ગુરુશરણે કર્યું રક્ષણ. હરિભદ્રસૂરિ મ. ચૂક્યા. અંબિકાદેવીને સાધી રાજમહેલમાં બૌદ્ધોને જીત્યા. શરત કરી હતી કે હારે એણે માથુ આપી દેવાનું. આખી યોજના હતી, મંત્ર-તંત્ર જાણતા હતા. ૧૪૦૦
૬૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org