________________
આકાશગામિનિ વિધાથી ધાતકીખંડમાં પહોંચ્યા. ત્યાં પ્રશ્નોત્તર રાજા આગળ દ્રોપદીના રૂપના ખૂબ વખાણ કર્યા એટલે પશ્નોત્તર રાજા લલચાયો. કોઈ પણ હિસાબે મેળવવી છે. એણે દેવમિત્રની સહાય લીધી. પેલા દેવે દ્રૌપદીને તેના પલંગ સાથે જંબુદ્વિપમાંથી ધાતકી ખંડમાં લાવીને મૂકી દીધી.
સવાર પડતાં પાંડવોને દ્રૌપદી દેખાતી નથી. આજુ-બાજુ શોધે છે પણ પત્તો મળતો નથી. કૃષ્ણની સહાય લે છે. આ બાજુ નારદ અહીં આવ્યા. કૃષ્ણ પૂછયું, “દ્રોપદી જોઈ?” નારદ કહે, “ધાતકીખંડમાં દ્રોપદી જેવી જ કોઈ સ્ત્રી હતી ખરી !” કૃષ્ણ સમજી ગયા કે આ નારદજીનું જ કામ છે. પાંડવોને કહ્યું, “ચાલો આપણે ધાતકીખંડમાં જવું પડશે.” કૃષ્ણ દેવની આરાધના કરીને ૨ લાખ યોજનાનો પુલ બનાવી ઘાતકીખંડમાં પહોંચ્યાં. અહીં આવીને બધા પશ્નોત્તર રાજાના રાજ્ય બહાર રોકાયા.
પાંડવો કૃષ્ણને કહે, “હવે તમે આરામ ફરમાવો. પોત્તર રાજાને જીતીને અમે દ્રોપદીને લઈ આવીએ છીએ.” કૃષ્ણ કહે પણ પેલો બળવાન છે. પાંડવો કહે “કંઈ વાંધો નહિ.” કરેંગે યા મરેંગે. દ્રોપદીને પાછા લઈને જ ફરીશું. સંકલ્પ સાથે નીકળે તો છે પણ આ પાંચ સામે પડ્યોત્તર રાજાનું ખૂબ મોટુ સૈન્ય છે. આ પાંચ ઘણી મહેનત કરે છે પણ રાજાને જીતી શક્તા નથી. વીલા મોઢે પાછા ફર્યા.
કૃષ્ણ કહે “મને ખબર જ હતી કે તમે વીલા મોઢે પાછા
(પ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org