________________
ફરશો.” પાંડવો પૂછે “કેમ ?” કહે, “તમે ગયા ત્યારે સંકલ્પ જ અધૂરો કર્યો. કરેગે યા મરેંગે એ અધૂરો સંકલ્પ છે. “કરકે હી રહેંગે” એવો સંકલ્પ જોઈએ. સંકલ્પ જેટલો પ્રબળ તેટલી સિદ્ધિ નીકટ
(૨) પ્રવૃત્તિ : જોરદાર પ્રણિધાન-સંકલ્પ કર્યા પછી પ્રવૃત્તિ જોઈએ. માત્ર સંકલ્પ કરીને બેસી રહીએ એ સંકલ્પ જ સાચો ન કહેવાય. જેટલી હોય તેટલી બધી શક્તિ ફોરવીને કાર્ય કરે.
(૩) વિઘ્નજય : હવે કાર્ય કરે એમાં વિઘ્ન આવે. કાર્યમાં આવતા વિઘ્નોને ધીરજથી, બહાદુરીથી દૂર કરવા પડે. એની સામે ઝઝૂમવું પડે.
(૪) સિદ્ધિ : એમ વિઘ્નોને દૂર કરીએ એટલે. સિદ્ધિ મળે. કાર્ય સિદ્ધ થઈ જાય પણ આ સિદ્ધિ મળ્યા પછી શું? તો ૫ મું Step છે,
✓
(૫) વિનિયોગ : આપણને જે મળ્યું છે. તે બીજા યોગ્ય જીવોને આપવાનું. બીજામાં એનું આરોપણ કરવાનું.
પ્રણિધાનપૂર્વક (૧) ચાર શરણનો સ્વીકાર કરવાનો, જેથી તેના ફળરૂપે અપાયોનો નાશ થાય, આપત્તિઓ દૂર થઈ જાય. (૨) દુષ્કૃતોની ગાં કરવાથી અશુભ કર્મના અનુબંધો તૂટી જાય. પરંપરા જે પાપોની અને દુઃખોની ચાલે તેનો નાશ થાય અને (૩) સુકૃતોની અનુમોદના કરવાથી પુણ્યનો અનુબંધ
Jain Education International
૫૩
For Personer Private Use Only
www.jainelibrary.org