________________
આવી શકે.
ક્ષપકશ્રેણી અને તિર્થંકર નામકર્મ એ પ્રણિધાનના અંતિમ ફળ છે. નાગકેતુ પરમાત્માની પૂજા કરતા કરતા મન પૂજામાં એકતાન થઈ ગયું. યથાશક્તિ ક્રિયા કરતા કરતા પ્રણિધાન મજબૂત હોવાથી ક્ષપકશ્રેણિ પર ચઢી ગયા.
પેલી ડોશી, કૂલ લઈને ભગવાનની પૂજા કરવા નીકળી 'તી...... પ્રણિધાન જોરદાર હતું તો શ્રેણીકની ગીરદીમાં કચડાઈ ગઈ... ને મરીને વૈમાનિકમાં ગઈ.
તીર્થકરના જીવો તીર્થકર નામકર્મ બાંધે, તે “સવિ જીવા કરું શાસન રસી' ની ભાવનામાં. અહીં મજબૂત પ્રણિધાન થયું ? માત્ર મનથી ભાવના નથી કરી, અનુરૂપ ક્રિયા પણ છે.
પ્રણિધાન એટલે મન-વચન-કાયા તેમાં ઓતપ્રોત કરવાની. પ્રણિધાનનો બીજો અર્થ છે સંકલ્પ. કોઈ પણ કાર્યના ૪ સ્ટેપ બતાવ્યા. આનાથી કાર્યસિદ્ધ થાય. (૧) પ્રણિધાન કરો - સંકલ્પ કરો
संकल्पात् सिद्धिः जायते ।
સંકલ્પથી સિદ્ધિ થાય છે. જોરદાર સંકલ્પ કર્યો હોય એટલે અડધું કાર્ચ પતી ગયું. આ કાર્ય કરવું જ છે એવો પાકો નિર્ણય કરવો પડે.
આ તો પ્રણિધાન . પાંચ પાંડવોની પત્ની દ્રૌપદી. એક વાર નારદ ઘરે આવે છે ને દ્રોપદીએ તેમનો વિનય ન કર્યો. નારદને લાગ્યું ખોટું.
૫૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org