________________
નથી. બેઠા બેઠા આત્માનું ધ્યાન ધરો. પણ એ ભૂલા પડયા છે. ક્રિયા પૂરેપૂરી કરવાની. તેનો અપલાપ ન કરાય. જેટલી શક્તિ હોય તેટલી ક્રિયા આચરવી જોઈએ.
જીરણ શેઠે ઘેર બેઠા બેઠા માત્ર ભાવના જ નથી કરી કે ભગવાન પારણું કરે. એ તો રોજ જવાનું. વિનંતી કરવાની, ભગવાન ન સાંભળે તોય બીજે દિવસે જવાનું. ભાવ વિશુદ્ધ છે અને મન પણ અર્પિત છે. એક જ વિચાર કે ભગવાન ક્યારે ઘેર આંગણે આવે એમ કરતા કારતક વદ-૧ આવી. મધ્યાહને અચાનક દેવદુંદુભિ વાગી. અભિનવ શ્રેષ્ઠીને ત્યાં પારણું થયું.
અહીં વિચાર નથી આવતો કે આટલી વિનંતિ છતાં મારા ઘરે નથી આવતા? વિચારે છે કે મારા કર્મ હજી એટલા ઓછા નથી થયા એટલે ભગવાનનું પારણું મારે ત્યાં ન થયું. જ્ઞાની ભગવંત કહે છે કે અભિનવ શ્રેષ્ઠી કરતાં અનંત ગણું પુણ્ય બાંધી દીધું. ૧૨મા દેવલોકનું આયુષ્ય બાંધ્યું.
અહીં તીવ્ર પ્રણિ ધાનવાળુ કર્મ ઉચ્ચ ફળને આપે છે કારણ ત્રણે લક્ષણયુક્ત છે જ્ઞાની કહે છે. કે હજી જે ૫ મિનીટ દેવદુંદુભિ મોડી વાગી હોત તો ભાવની ધારા એવી હતી કે ત્યાંજ કેવળજ્ઞાન થઈ જાત.
હવે નક્કી કરવું છે કે કોઈપણ ધર્મક્રિયામાં સાંસારિક ભાવ લાવવા નથી. ભગવાનના દર્શન/પૂજા નિઃસ્વાર્થ રીતે કરવાની. આપણને નિગોદમાંથી માણસ, બનાવી દીધા. દુનિયામાં સૌથી મહાન આ જિનશાસન છે. એની તુલનામાં કોઈ ના
(૫૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org