SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપવાસ લગાવીને બેઠા છે. જીરણ શેઠ ચારે મહિના રોજને રોજ દર્શન કરવા જાય ને વિનંતી કરે... ભાવની કેવી વિશુદ્ધિ છે ! અહીં કોઈ સંસારી ભાવ નથી. ચાતુર્માસ પૂરા થયે પાછા સવારમાં જઈને ભાવપૂર્વક વિનંતી કરે છે. હવે તો મનમાં શ્રદ્ધા છે કે ભગવાન આવશે જ. શેરીના બહાર નાકે જઈને ઊભા રહે છે. આખી શેરી સજાવી છે... પારણાની પૂરી તૈયારી છે. ભગવાન હમણાં આવશે, હમણાં જ આવશે... આખું મન એમાં અર્પિત છે. સાડા બાર કરોડ સોનૈયાની ભાવના નથી. ભાવના વિશુદ્ધ છે. દેવાધિદેવને પારણું કરાવીએ ને મારી મુક્તિ નિકટ આવી જાય. દરેકમાં આ શુભ ભાવ લાવવો છે કે મારે સ્વાધ્યાય/ ભક્તિ એ નામના માટે નહિ મારા આત્માની મુક્તિ માટે કરવા છે. સંસારની ઈચ્છા અને આશયો ભાવનાને અશુદ્ધ બનાવે છે. (૨) એકાગ્રતા : વળી, જે ક્રિયા કરો તેમાં મન સોંપી દો. ભગવાનને વિનંતી કરે છે તે માત્ર વાણીથી નહિ હૃદયના ભાવથી. મન ક્રિયામાં સોંપી દેવાનું. એક ક્રિયા કરતા બીજી ક્રિયાના ભાવ ન આવવા જોઈએ. જીરણ શેઠમાં આ બેય લક્ષણો ઘટે છે અને વળી, (૩) યથાશક્તિ-ક્રિયાલિંગ : પ્રતિક્રમણાદિમાં જેમ વિધિપૂર્વક થતું હોય તેમજ કરવું. મનમાં થતા ધર્મને અનુરૂપ યથાશક્તિ ક્રિયાઓ પણ જોઈએ. શાસ્રકારે કહ્યું અનંતા ઓઘા લીધા. એ વાતને પકડીને ઘણાએ કહ્યું કે ક્રિયા કરવાની જરૂર Jain Education International ૪૯ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy