________________
લાક્ષણિક શુદ્ધ - ધર્મ:
આ માનવભવ પામ્યા પછી આ અસાર સંસારમાંથી બહાર નીકળવાનો પુરુષાર્થ એ જ કર્તવ્ય. આ સંસારનો ઉચ્છેદ શી રીતે? શુદ્ધ ધર્મની આરાધનાથી. ધર્મમાં જેટલી ગરબડો કરીએ. એટલું રીઝલ્ટ કપાય. દરેક વિષયમાં જેટલી શુદ્ધતામાં જઈએ. તેટલું રીઝલ્ટ ઊંચુ મળે. પરિપૂર્ણકક્ષાનો ધર્મ આરાધતાં છેલ્લું ફળ મોક્ષ મળે.
શુદ્ધ ધર્મના ૩ લક્ષણો. ૧. આદરબુદ્ધિથી કરવો,
આ ધર્મ એ જ કર્તવ્ય છે એવી બુદ્ધિપૂર્વક કરવાનો. એના પર પૂર્ણ, આદર બહુમાન જોઈએ. એનો જ પક્ષપાત જોઈએ. મનુષ્યજીવનમાં ધર્મ સિવાય કાંઈ જ કરવા જેવું નથી એવી દેટ માન્યતા જોઈએ. જે કરવું પડે એ લાચારી છે. સત્વહીનતા છે. કર્મની પ્રબળતા છે. અહીં એકમાત્ર ભગવાનની ભક્તિ અને ગુરુની વૈયાવચ્ચ તથા ધર્મનું આરાધન એ જ કર્તવ્ય છે. એવી સ્પષ્ટ બુદ્ધિ-માન્યતા જોઈએ.
૨. ચાર સંજ્ઞાના નિગ્રહપૂર્વક કરવો.
એક બાજુ ધર્મ કરીએ ને બીજી તરફ સંજ્ઞાઓને છૂટી મૂકીએ એ ન ચાલે. ઈન્દ્રિયોનો નિગ્રહ કરનાર એ આરાધનાને પાત્ર છે. ઉપવાસ કરીને પારણામાં વૃદ્ધ બનીએ. તપશ્વર્યા કરીને ઉજમણામાં આસક્ત બનીએ તો ધર્મ જોઈએ તેવો શુદ્ધ ન બને. દરેક ક્રિયા કરતાં આહાર-ભય-મેથુન અને પરિગ્રહ
(૩૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org