________________
જવાનું છે” ને શ્રેણિક કહે, “મારે નરકમાં જવાનું ? મારા હૃદયમાં મહાવીર સિવાય કાંઈ નથી. રાજ્ય નથી, ભોગો નથી, અંતઃપુરની સ્ત્રીઓ નથી, મારા હૃદયમાં માત્ર આપ છો ને મારે નરકમાં જવાનું ?” મહાવીર ભ. કહે, “હમણાં તારા હૃદયમાં મહાવીર છે એ વાત બરાબર પણ હરણીને મારી હતી, તેના ગર્ભને હણ્યું તે પાપ તો ભોગવવું જ પડે.” તીર્થંકરના જીવ, આપણે એમની અત્યારે પૂજા કરીએ ને એ નીચે નરકમાં દુઃખો ભોગવે. અને જ્યારે વ્યવશે જ ક્ષણે ઈન્દ્રોના સિંહાસનો ડોલશે. ૧૪ રાજલોકના જીવો ક્ષણ માટે આનંદ પામશે, જન્મ સમયે ૫૬ દિકુમારીઓ આવશે. આ બધું ખરું પણ કરેલું કર્મ ભોગવવું તો પડે જ.
રત્નકણિકા
જેમ ગરમ દૂધ શરીરમાં ઠંડક કરે છે તેમ ગુરુના ગરમ વચન આત્મામાં ઠંડક કરે છે.
જીવો પ્રત્યે પ્રેમભાવ,
Jain Education International
અને પુદ્ગલ પ્રત્યે ઉદાસીનભાવ, એ છે વૈરાગ્ય ભાવ
૩૫
For Personal & rivate Use Only
www.jainelibrary.org