________________
આખો સંસાર વર્તમાનમાં પણ ભયંકર દુઃખરૂપ છે. પરમાધામી નિયમા ભવ્ય હોય, આપણે પણ ભવ્ય જીવ એટલે આપણે પણ આવા પરમાધામીના અનંતા ભવો કર્યા. આપણે નારકોને દુઃખ આપ્યા ને પછી મરીને પરમાધામીઓને ૨-૩ જા ભવે નારકી જ મળે ને પોતે દુખ ભોગવે. આ સર્કલ ચાલ્યા કરે. એ વખતે કોણ બચાવે? પણ કાળ પરિપકવ થયો. કમી ઓછા થયા ને અહીં આવ્યા. હવે જો ભૂલા પડયા, જિનશાસનને છોડયું તો સર્કલ પાછું ચાલુ. પુરૂષાર્થ ન કરીએ તો ભટકવાનું. સારો અને સાચો પુરૂષાર્થ કરશું તો ઠેકાણું પડશે.
ભૂંડો આ સંસાર! શાસ્ત્રમાં ઠેર ઠેર સંસારની અસારતા બતાવી, આજે વર્તમાનમાં પણ જીવોને કેવા દુખ ભોગવતા જોઈએ છીએ. ભંડોને ઊંધા લટકાવે. ગુદામાંથી સળીયો નાખીને જીભમાંથી બહાર કાઢે. પછી ગોળ-ગોળ ફેરવે. નીચે અગ્નિ પેટાવે એટલે ભૂંડ જીવતું ને જીવતું શેકાય. દેવનારમાં ઢોરને જીવતા ને જીવતા ચામડી ઉતારે. ઉકળતા પાણીમાં નાંખે. રોજના આજે આખી દુનિયામાં કરોડો-અબજોની સંખ્યામાં માછલાઓ કપાય છે.
અનંત પુણ્યોદયે સારો મનુષ્યભવ મળ્યા પછી પણ એમાં કુટુંબ પરિવારની ચિંતાઓ, શારિરીક રોગાદિ દુઃખો, માનસીક પાર વગરના દુઃખો, વળી સમજણના અભાવે દુઃખોથી છૂટવા પાપ કરે ને વધુ દુઃખો ભોગવે.
ભગવાન મહાવીરે શ્રેણિકને કીધું કે “અહીંથી તારે નરકમાં
(૩૪)
૩૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org