________________
તત્વજ્ઞા: વિરત્નાઃ આજનું સાયન્સ પણ કહે છે કે જગતના પુદ્ગલોના પર્યાયોની સ્થિતિ પરિવર્તન થાય પણ કોઈ પણ પદાર્થ-પરમાણુ જગતમાં નવો ન થાય કે જગતમાંથી કોઈ પણ પરમાણુનો નાશ પણ ન થાય. આ સાચી વાત છે પણ મહત્વની વાત એ છે કે સાયન્સ જડની આટલી ચિંતા/સંશોધન કરે છે તેમ આત્માની કેમ નથી કરતું ? હું ગયા ભવમાં ક્યાં હતો ! હું અહીં ક્યાંથી આવ્યો ? આચારાંગમાં લખ્યું કે મોટા ભાગના જીવો એ જાણતા જ નથી કે પોતે કોણ છે. એ સમજે છે કે હું ભારતીય છું, હિન્દુ છું, પણ હું આત્મા છું એમ બહુ ઓછા સમજે છે. તત્ત્વ સમજવાવાળા વિરલા હોય છે.
જે આત્મા માને એને પછી વિચાર આવે કે ક્યાંકથી અહીં આવ્યો ને હવે અહીંથી મરીને બીજે જવાનું છે. આપણી સાથેના, આજુબાજુના આપણા જ એવા કેટલાય આપણી નજર સામે યમરાજાના ઘરમાં પહોંચી ગયા. પણ આ જીવ મૂરખ સમજતો નથી કે મારે પણ મરવાનું છે.
અહીં રૂપક ઘટાવે છે. થાળીમાં એક રોટલી. તેનો એક ટુકડો મોંમા ચવાય છે એને જોઈને રોટલીનો બીજો ટુકડો હસે છે કે જો તું કેવો ચવાય છે પણ એ સમજતો નથી કે તારે પણ આજ રીતે હમણાજ ચવાવાનું છે. આવી જ સ્થિતિ આપણી પણ છે. રોજ છાપામાં એકસીડન્ટો વંચાય, રોગચાળાઓ વંચાય. જીવો બધા ટપોટપ મરે છે. આખી પરિસ્થિતિ બદલાઈ રહી છે. તમારી પાસે ભલે કરોડો રૂ।. હશે પણ તમને ચોખ્ખા, ઘી, દૂધ નહિ મળે. આપણી કહેવાતી પ્રગતિ, વિકાસ, ઉધોગો રોજેરોજનું
Jain Education International
૧૮
For Personal & Private Use Only
www.jainelibrary.org