SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ન મળે. ભોમિયો જ ન મળે. મળે તો ખોટા મળે, સાચા મળવા ચ મુશ્કેલ. અથડાતા કૂટાતા ઘણો માર ખાધો. કર્મ ઓછા થયા એટલે અપુનર્બલકમાં આવ્યા ને ભગવાન મળ્યા. તેમણે ગુરુના જેવા લક્ષણ બતાવ્યા તેવા ગુરુ મળ્યા. અષ્ટપ્રવચન માતાનું પાલન, બાહ્મચર્ય-અપરિગ્રહ વગેરેના નિયમોથી યુક્ત એવા ગુણયુક્ત ગુરુ મળ્યા. અને જ્યાં તીર્થકર, વિગેરે મહાન આત્માઓના જીવો છે એવો સંઘ મળ્યો. પુરુષાર્થ એજ કર્તવ્ય: આ દેવ ગુરુ ધર્મની સર્વશ્રેષ્ઠ સામગ્રી મળી. આ બધી સામગ્રી અવ્યવહારરાશિમાં ન હતી. પૃથ્વીકાય અપ/વૈઉમાં ભટક્તા હતા ત્યારે ન હતી. ચરમાવતમાં પણ મળે તો કેટલો પુણ્યોદય જોઈએ. આપણને જન્મથી આ મળ્યા. આપણો કેટલો પુણ્યોદય? આપણે કેટલા ટોચ ઉપર પહોંચી ગયા? પણ હવે શું કરવાનું ? બજાર, મૂડી, ધંધો બધુ અનુકૂળ હોય પછી બેસી રહે તો મૂરખ જ ને ? એક રૂા. ના હજાર, લાખ કરી આપે એવો ધંધો હોય પછી પ્રમાદ કરાય? હવે તો પુરુષાર્થ કરવાનો. મહેનત કરીને આ સંસારનો ઉચ્છેદ કરવાનો છે. ક્રોધ, માન વગેરે ડાકુઓ છે, મ્લેચ્છો છે, ગુંડાઓ છે. એમનો નાશ કરવાનો છે. ભગવાન દેશનામાં કહે છે કે આપણો જીવ અનાદિનો છે. કોઈ પણ ભૂતકાળ એવો નથી જ્યારે આપણે નહોતા અને એવો પણ કોઈ કાળ નહિ હોય જ્યારે આપણે નહિ હોઈએ. ( ૧૦ ) Jain Education International For Personel Private Use Only www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy