________________
મરણ નીકટ કરે છે. બહુ થોડા વરસ માટે આ જીવન મળ્યું છે. આ કાળમાં સાધના નહિ કરીએ તો ભવિષ્યના અનંતકાળનું શું? અહીંથી સંપત્તિ સાથે આવશે કે ધર્મને ગુણો? અનંતકાળથી જીવ સંસારમાં કેટલુંય ભટક્યો. એક ગતિ બાકી નથી રાખી. અચરમાવતમાંથી ચરમાવતમાં આવ્યા. કર્મ હેરાન કરતું હતું ને એ પછી પણ માર ખાતા ખાતા પુરુષાર્થ કાળમાં આવ્યા. આપણો અતીતનો ઈતિહાસ તો બની ગયો પણ હવેનો અનાગત ભવિષ્યકાળ આપણા હાથમાં છે. તમે કોઈનો પણ ઈતિહાસ સાંભળો, વાંચો તે હકીકતમાં આપણો જ છે. અચરમાવર્તમાં પણ દુઃખ એવું નથી કે જે આપણા જીવે ન ભોગવ્યું હોય અને કોઈ પણ પાપ એવું નથી કે આપણા જીવે ન કર્યું હોય.
મોંઘેરો આ માનવભવ : અત્યારે આપણને જેન કુળમાં જન્મ લેવા માત્રથી દેવગુરુ સાહજિક મળી ગયા પણ હકીકતમાં એ એમનેમ નથી મળ્યા. અનંતાનંત મરણાંત કષ્ટો વેઠીને એના બદલામાં આ બધું મળ્યું છે. આ ભગવાન, ગુરુ અને ધર્મ એમનેમ નથી મળ્યા-અનંતીવાર પરમાધામીને આ કાચા સોપી. અનંતીવાર એકેક તિર્યંચના ભવ કર્યાઆ બધુ થતાં સ્વભાવ/નિયતિ/ કાળ/કર્મ એ બધાએ લીલી ઝંડી આપી અને હવે આપણે છેલ્લે અરિહંતના દરબારમાં આવ્યા. અનંતા ભવો પછી નિયતિએ રજા આપી. પછી કાળે અનંતીવાર ભટકાવ્યા. એક કેરોસીનની લાઈનમાં ઊભા રહેતા કંટાળો આવે પણ અહીં અનાદિથી તિર્યંચનિગોદની લાઈનમાં ઊભા હતા. અનંતા દુઃખો વેઠીને, અનંત
(૧૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org