________________
ભાવના છે કે ત્યાં પારસનાથનું સુંદર મંદિર થાય. આ શેઠે એનું સરનામુ ને બધુ લઈ લીધું.
અંતરની ભાવના ફળી.....
માજી યાત્રા પૂરી થઈ ને ગામમાં આવ્યા. થોડા દિવસો પછી એક માણસ માજીનું ઘર શોધતો શોધતો આવ્યો. માજીએ પાણી પાયું. પછી કહે : શેઠે મોકલ્યો છે. અને પેલી જગ્યા ખરીદીને ત્યાં મંદિર બાંધવાનું છે. શેઠે કીધું હતું પૈસા સામે જોવાનું નથી. સારામાં સારું મંદિર ઉભું કરવાનું છે. અને પછી તો કાર્યવાહી ચાલી. ખેતરની જગ્યા લેવાઈ ગઈ ને થોડા ટાઈમમાં તો એ પાર્શ્વનાથનું ભવ્ય મંદિર ઉભું થઈ ગયું...
મૂળ સાર એ જ કે જેની પાસે એક રૂા. ની મૂડી નથી એની પણ આવી મોટી ભાવના પૂરી થઈ કારણ આધ્યાત્મિક જગતની ભાવના છે. ધર્મની ભાવના છે. નિઃસ્વાર્થ છે. અને એવી ભાવના જ્યાં હોય ત્યાં ફળ મળ્યા વગર ન રહે.
સુકૃત-અનુમોદનાનાં બે ફળ (૧) જે સુકૃતની અનુમોદના કરીએ તે સુકૃત આપણામાં આવે અને (૨) સુકૃત કરનારે જે પુણ્ય ઉપાર્જન કર્યું તે પુણ્ય આપણને પણ મળે. તે
શાસ્ત્રમાં દૃષ્ટાંત આવે છે. બળભદ્રમુનિ જંગલમાં સાધનાઓ કરે છે. તપ તપે છે. માસક્ષમણ કરે છે. જંગલમાં એક હરણ. હરણ મહાત્માની ભક્તિ કરે. જંગલમાંથી કોઈ સાર્થવાહ જતો હોય તો ત્યાં મુનિને ગોચરી પાણી વહોરવા
હરણ લઈ જાય.
Jain Education International
૧૬૨
For Personel Private Use Only
-
www.jainelibrary.org