________________
એકવાર કો'ક ઉત્તમ સાર્થવાહ જંગલમાંથી પસાર થતો હતો. હરણ મુનિને સાર્થવાહ પાસે લઈ ગયું. સાર્થવાહ મુનિને ખૂબ ભાવથી વહોરાવે છે. હરણ આ જોઈને ખૂબ આનંદમાં આવે છે. ખૂબ અનુમોદના કરે છે. આ વખતે અચાનક ઝાડનું થડ પડયું ને ત્રણે મરી ગયા. ત્રણે જણા મરીને એકસાથે ૮૫મા દેવલોકમાં ગયા.
સાધુએ સાધના કરીને જે પુણ્ય એકત્રિત કર્યું તેટલું જ પુણ્ય સાર્થવાહે ખૂબ ભક્તિભાવથી વહોરાવતા બાંધ્યું અને હરણે તેટલું જ પુણ્ય માત્ર અનુમોદનાથી બાંધ્યું. પણ આ અનુમોદના હૈયાની જોઈએ.
“કરણ, કરાવણ ને અનુમોદન, સરિખા ફલ નિપજાવત”
૦ રન કણિકા ૦ | મહાપુરુષોના પગલે જંગલમાં ય મંગલ અને રણમાંય ઝરણ સર્જાય છે.
કપડાં ફાટે તો ચલાવી લેજ, પણ સંસ્કાર કે ચારિત્ર ન ફાટે તેની તકેદારી રાખજો. કેમ કે એને સાંધી આપનાર કોઈ દરજી નહિ મળે....
- સંસારના સાધનોનો રાગ કાઢવો ને શાસનના પ્રત્યેક અંગ પર બહુમાન ભાવ ઉભો કરવો એ જ સાધના છે.
(૧૬૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org