SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ એકવાર કો'ક ઉત્તમ સાર્થવાહ જંગલમાંથી પસાર થતો હતો. હરણ મુનિને સાર્થવાહ પાસે લઈ ગયું. સાર્થવાહ મુનિને ખૂબ ભાવથી વહોરાવે છે. હરણ આ જોઈને ખૂબ આનંદમાં આવે છે. ખૂબ અનુમોદના કરે છે. આ વખતે અચાનક ઝાડનું થડ પડયું ને ત્રણે મરી ગયા. ત્રણે જણા મરીને એકસાથે ૮૫મા દેવલોકમાં ગયા. સાધુએ સાધના કરીને જે પુણ્ય એકત્રિત કર્યું તેટલું જ પુણ્ય સાર્થવાહે ખૂબ ભક્તિભાવથી વહોરાવતા બાંધ્યું અને હરણે તેટલું જ પુણ્ય માત્ર અનુમોદનાથી બાંધ્યું. પણ આ અનુમોદના હૈયાની જોઈએ. “કરણ, કરાવણ ને અનુમોદન, સરિખા ફલ નિપજાવત” ૦ રન કણિકા ૦ | મહાપુરુષોના પગલે જંગલમાં ય મંગલ અને રણમાંય ઝરણ સર્જાય છે. કપડાં ફાટે તો ચલાવી લેજ, પણ સંસ્કાર કે ચારિત્ર ન ફાટે તેની તકેદારી રાખજો. કેમ કે એને સાંધી આપનાર કોઈ દરજી નહિ મળે.... - સંસારના સાધનોનો રાગ કાઢવો ને શાસનના પ્રત્યેક અંગ પર બહુમાન ભાવ ઉભો કરવો એ જ સાધના છે. (૧૬૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy