________________
ઉપકારી કહેવાય. એના ઉપકારને ભૂલીએ એ મોટામાં મોટું પાપ ! મુનીમજીને માજીની તપાસ કરવા મોકલે છે. તપાસ કરી લાવે છે. આ શેઠ હવે સોનારૂપાનો ભરેલો થાળ લઈને માજી પાસે આવે છે. પગે લાગે છે. વાળ મૂકે છે. ને વિનંતી કરે છે તમે માત્ર એનો નહિ મારા આખા કુટુંબનો ઉદ્ધાર કર્યો છે હવે આ સ્વીકારો
માજીઃ મેં કાંઈ નથી કર્યું આ તો બધુ પારસનાથ દાદાની કૃપાથી થયું છે. તમે એની ભક્તિ કરો.
શેઠઃ છતાં અમારે તમારા ઉપકારનો બદલો તો વાળવો જ પડે ને?
માજીઃ ના, મેં કાંઈ ઉપકાર કર્યો નથી.
૧૦ થીંગડાવાળા લૂગડા પહેરનાર માજી સામે ચડીને આવેલી લાખોની સોનામહોરોને છોડે છે, લઈ લે તો આખી જંદગી સુધરી જાય. પણ નિસ્પૃહતા છે એ પણ દાદાના પ્રભાવેજ માજી મક્કમ છે મારે કાંઈ નથી લેવું.
માજીની ઉદાત્ત ભાવના : પણ શેઠને વિચાર આવે છે માજીને કહે- તમારે તમારા માટે કાંઈ નથી તેવું પણ તમારી કોઈ ધર્મની ભાવના હોય તો કહો તો એ પૂરી કરી દઉં.
માજી: મારે તો પારસનાથનું નામ રટણ મળ્યું એટલે બસ પણ અમારા ગામ બહાર એક સુંદર જગ્યા છે. ને મારી
(૧ળ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org