________________
ભાગ પરથી કરૂણ રૂદન સંભળાયું. માજીને થયું, આ તો પારસનાથનું ધામ- અહીં કોણ રૂવે છે?
માજી ત્યાં દોડી ગયા. ત્યાં એક ૩૦-૩૫ વર્ષની શ્રીમંત ઘરની વહુને પેટમાં ખૂબ દુખવા આવ્યું બધા ડોક્ટરોએ તપાસીને હાથ ધોઈ નાખ્યા છે. કોઈ રીતે સારુ થતું નથી, કોઈ બીજો ઉપાય દેખાતો નથી. બધા વિહવળ છે. ચીસો પાડે છે. બધા અત્યંત શોકમગ્ન છે. માજી સીધા રૂમમાં ગયા. માજી પૂછે શું થયું? કહે બચાવો મને પેટમાં ખૂબ દુઃખે છે. આંતરડા તૂટી જાય છે. માજી કહે-પારસનાથ દાદાને યાદ કર મને ખૂબ શ્રદ્ધા છે. એમના પ્રભાવથી કોઈનું દુઃખ ન રહે. એક ગ્લાસમાં પાણી મંગાવ્યું. એમાં અંગૂઠો નાખી “પારસનાથ પારસનાથ'ની રટણા કરી અને પ્રાર્થના કરી કે એના દુઃખ દૂર થાઓ અને પછી એ પાણી બાઈને પીવડાવ્યું. કીધું - પારસનાથની રટણા ચાલુ રાખો. આપણો એક જ દાદો છે.
બાઈએ રટણા કરી, ને અડધો કલાક થયો ને ચીસો બંધ થઈ. થોડી વારમાં તો વેદના શાંત થઈ ગઈ. બધાએ પૂછયું કેવી રીતે થયું? કહે માજીએ પાણી આપ્યું એનાથી. પણ માજી
ક્યાં છે? માજી તો સીધા રૂમમાં પહોંચી ગયા. કોઈને ખબર નથી ક્યા માજી. અહીં બધુ ધીરે ધીરે થાળે પડી ગયું. સગાવહાલા બધા વિખરાઈ ગયા.
માજીની નિઃસ્પૃહતાઃ અહીં સાંજે પેલી બાઈના ધણીને વિચાર આવ્યો. આ તો
૧૦ For Personel Private Use Only
Jain Education International
www.jainelibrary.org