________________
આ શેના આધારે ભાવના ભાવે છે ? પણ શ્રદ્ધા એ મહાન વસ્તુ છે. કુંઠિત બુદ્ધિશાળીને શ્રદ્ધાના બળની ખબર ન પડે. પણ બધી વસ્તુ બુદ્ધિની ફૂટપટ્ટીથી ન મપાય. આધ્યાત્મિક જગતમાં બધુ શક્ય છે.
માજી સમેતશીખરજીની જાત્રાએ...
હવે એકવાર ગામમાં એક માણસે સંઘ કાઢ્યો, સમેતશીખરનો! માજીને સાધર્મિક તરીકે પાસ મળ્યો ને માજી સમેતશિખર પહોંચ્યા. બીજે દિવસે ઉપર ચઢવાનું છે ને માજી મનોરથ કરે છે- આ વખતે તો દાદાને એવી રીતે ભેટવા છે કે કાયમનો વિયોગ તોડી નાંખે.તમે પણ મનોરથ કરો- આ ગિરિરાજની જાત્રા એવી રીતે કરું કે ડગલે ને પગલે અનંતા કર્મો ખપાવું. કલિકાલસર્વજ્ઞ ભગવંત, હીરસૂરિ મ. વગેરે બધા અહીં આવ્યા છે. અનંતા અહીં સિદ્ધ થયા છે. આવો પરમપવિત્ર ગિરિરાજ મને મળ્યો હવે જનમ સફળ કરી નાંખું.
માજી વિચારે-સવારે વહેલા નીકળી પૂજા, ભક્તિ દર્શન કરશું. અને રાત્રે એ જ ભાવનામાં સૂઈ જાય છે. સવારે વહેલા ચડી ગયા. મંદિરમાં પહોંચીને દાદાની ભક્તિ કરી ને ૩-૪ વાગે નીચે ઉતર્યા. ઉતરીને સંઘના રસોડે જમીને રૂમના ઓટલા પર બેઠા છે.
ધર્મશાળામાં કોલાહલ સંભળાયો....
અને એટલામાં ધર્મશાળાની સામેની બાજુના ખૂણાના
Jain Education International
૧૫૯
For Personal & Private Use Only
www.jainelibrary.org