________________
છાપામાં ફોટા આવે. વેપારી મંડળના પ્રમુખ બન્યા, ધન્યવાદ! આ સિદ્ધિ હાંસલ કરી, ધન્યવાદ ! આ બધી અનુમોદના જ છે. એ સંસારના પ્રસંગો છે, સ્વાર્થ માટેના છે. જ્યારે ધર્મમાં સુકૃત અનુમોદના એ ધર્મ ભાવના છે. અને એનો મોટામાં મોટો ફાયદો એ છે કે તમે જેની અનુમોદના કરો તે ગુણ તમારામાં આવ્યા વગર ન રહે. આધ્યાત્મિક નિયમ છે. તમે જેની ઈચ્છા કરો તે મળ્યા વગર ન રહે પણ શરત એ કે એમાં ભૌતિક
સ્વાર્થ ભળેલો ન જોઈએ. તમને જે ગુણ જોઈતો હોય તેની મુક્ત કંઠે પ્રશંસા કરો. એની સેવા ભક્તિ કરો એટલે એ સરળતાથી તમારામાં આવે.
સુકૃત ઈચ્છા અને એ ડોશીમાં મારવાડમાં આજે પણ એક ભવ્ય જિનમંદિર ઊભું છે. તેનો ઈતિહાસ જુઓ.
એક ગામમાં એક ડોશીમા હતા. બાલપણમાં પતિ મૃત્યુ પામ્યા. વિધવા છે. નિર્વાહ માટે લોકોના કામ કરે. જે કાંઈ થોડુ મળે એનાથી ગુજરાન ચલાવે. પાછળ પેઢીમાં કોઈ છે નહિ. રોજ એ માજી ગામ બહાર જાય ને ત્યાં એક સુંદર રમણીય જગ્યા જુએ. માજી બહુ ભણેલા નહિ પણ પારસનાથ ભગવાન પર શ્રદ્ધા બહુ એટલે રોજ અહીં આવે ને યાદ કરે કે અહીં પારસનાથનું મંદિર હોય તો કેવું સારું!
માજીના સાડલે ૧૦ થીંગડા માર્યા છે. ખાવા-પીવાના ફાંફા છે. ઝૂંપડી તૂટલી - ફૂટલી છે. બુદ્ધિશાળી એમ જ વિચારે કે
Forp (24C
Jain Education International
For Personel Private Use Only
www.jainelibrary.org