SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ નાચી ઉઠું.... અને આવા બધા ભાવો હશે, દિવસોના મનોરથ હશે તો ધર્મક્રિયા-પૂજા ભાવવાળી બનશે. ઉલ્લાસપૂર્વકની આરાધનાથી કેવા પુન્યના ગુણાકારા સાધુ મહાત્મા વહોરવા પધાર્યા છે. આ ખીર એણે રડીને, ક્કળાટ કરીને મેળવી છે. જે કદી પહેલા ચાખી પણ નથી એવી પણ ખીર પોતાના માટે રાખ્યા વગર બધી વહોરાવી દીધી. મહાત્મા ગયા પછી એમ થયું કે આજે બેડો પાર થઈ ગયો. આનંદ આનંદ થઈ ગયો. પછી તો મા એને બીજી વધેલી ખીર આપે છે. પણ એનાથી અજીર્ણ થાય છે. પણ આનું મન એક જ કે આજનો દિવસ રૂડો છે. કેવા સુંદર મહાત્મા ને કેવો સુંદર લાભ મળ્યો સતત આ જ ભાવમાં છે ને એવી અનુમોદના કરી કે પુણ્યના ગુણાકાર થયા ને તે એવા કે તે રાત્રે જ મરીને ભદ્રામાતાની કુક્ષિમાં આવ્યા. મનુષ્યજન્મ ને એમાં પણ જન્મતા જ શ્રીમંતાઈ. જન્મતા જ પાર વગરની અદ્ધિ ને થોડા મોટા થયા ને દેવતાઈ ત્રાદ્ધિ, વળી, સાધુના દાનથી મળ્યું એટલે ભોગવવાની મૂછ ન જાગી પણ છોડવાની બુદ્ધિ જાગી, સત્વ મળ્યું. પૂર્વ ભવમાં સાધુ ભગવંત મળ્યા. તો આ ભવે મહાવીર ભગવાન મળ્યા. બધી રીતે પુણ્યના ગુણાકાર થયા. હવે શાલિન્દ્રના ભવથી અનુત્તર વિમાનમાં ને ત્યાંથી મહાવિદેહમાં મનુષ્ય થઈ મોક્ષે જશે. સુકૃતની અનુમોદનાથી સુકૃતના ગુણાકાર આ શાશ્વત નિયમ જ છે કે, - ૧૪૮ For Personalrivate Use Only ૧૪૮) Jain Education International www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy