________________
વખાણ કરવાના? મહાપુરુષો કેવા કાર્યો કરી ગયા?
આપણા સુકૃત આપણાથી ન બોલાય. ખાનદાન અને ઉત્તમપુરુષો પોતાનું સારું ચારિત્ર પોતાના મુખે ક્યારેય ન બોલે. સ્વપ્રશંસા એ પરનિંદા જેટલો જ મોટો દોષ છે. માનના બે સ્વરૂપ-પરનિંદા અને સ્વપ્રશંસા., સ્વોત્કર્ષ અને પરઅપકર્ષ. બીજાનું નીચું બોલવું તેય અભિમાન છે. તેમ કોઈ પ્રશંસા કરે ને ગલગલીયા થાય એ ય અભિમાન જ છે.
હવે ગાડી રીવર્સમાં જવા દેવાની છે. આપણી નિંદા અને બીજાના ગુણ ગાવાના છે. આપણા સુકૃતની અનમોદના મનમાં કરવાની. જ્યારે બીજાના સુકૃતની અનુમોદના ભરપેટ બધાની સમક્ષ કરવાની.
ચિત્ત, વિત્ત ને પાત્ર વડાઈઃ શાલિભદ્રની ખીર એ બધાના ઘરેથી લાવેલી વસ્તુઓમાંથી બની હતી.. જીંદગીમાં પ્રથમવાર ખાવા મળી છે. છતાં મનોરથ છે કે કો'ક સાધુ મહાત્મા પધારે તો વહોરાવું. ને આજે જ મહાત્મા પધારે છે. માસક્ષમણના તપસ્વી છે. આજે સામગ્રી પણ ઉત્તમ અને મહાત્માનું પાત્ર પણ ઉત્તમ પોતાના ભાવ તો 'ઊંચા છે જ. ચિત્ત, વિત્ત ને પાત્રનો સંયોગ થયો આ ત્રણેની ઉત્તમતા મળવી દુર્લભ છે. છતાં દિવસોથી જે મનોરથ કર્યા તેનું પુણ્ય ઉદયમાં આવ્યું. '
મનોરથપૂર્વકનો ધર્મ ઉલ્લાસથી થાય. મનોરથ કરવાના. એક દા'ડો તો ભગવાનની ઊંચામાં ઊંચી વસ્તુથી પૂજા કરું,
૧૪૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org