________________
સુકૃત અનુમોદના: સુકૃત-અનુમોદનામાં કોના સુકૃતની અનુમોદના કરવાની? તો આપણા અને બીજાના. સુકૃતની અનુમોદનાથી એના ગુણાકાર થાય.
શાલીભદ્ર, સંગમના ભવમાં ભાવપૂર્વક જે ખીર વહોરાવી અને તેના ફળ રૂપે અઢળક ઢદ્ધિના સ્વામી થયા. શાલીભદ્ર એક જ વાર ખીર વહોરાવી છે. આપણે એના કરતા અનેકગણુ વહોરાવ્યું છે છતાં એવું રીઝલ્ટ કેમ ન આવ્યું? એની પાછળ બે કારણ છે.
(૧) ધર્મક્રિયા કરીએ છીએ પણ અત્યંત એકાગ્રતાપૂર્વક રૂચિપૂર્વક, આદર અને બાહુમાનપૂર્વક કરવી જરૂરી છે એ રીતે આપણે કરતા નથી.
પાપની ક્રિયા રસપૂર્વક થાય છે. તેમાં આગળ અને પાછળના પ્લાનીંગ હોય છે. જ્યારે ધર્મ પ્લાનીંગ વિનાનો છે. માટે એમાં મન ચોટતું નથી, ધર્મક્રિયા કરતા પહેલા પ્લાનીંગ જોઈએ ને કર્યા પછી અનુમોદના જોઈએ એનાથી ધર્મ નક્કર અને મજબૂત થાય.
સંગમના જીવે ખીર તો એક જ વાર વહોરાવી છે. પણ જુઓ, એ જ્યારે નાનપણમાં શેરીમાં રમતો હોય એ વખતે નાના છોકરાઓ મહાત્માને તેડી લાવે, પોતાના ઘરે વહોરવા લઈ જાય, આ પણ સાથે જાય. પોતાની શક્તિ નથી. છતાં
(૧૪૪)
૧૪૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org