________________
મનોરથ કર્યા કરે, ક્યારે હું પણ મારા ઘરે તેડી જઈશ, વહોરાવીશ?
(૨) ધર્મક્રિયા કરતાં પહેલા એની વારંવાર ઈચ્છા ભાવના કરવાની. અને કર્યા પછી એ સુકૃતની અત્યંત અનુમોદના કરવાની આ આપણે કરતા નથી.
આધ્યાત્મિક જગતનો કાયદો છે તમે સાચા ભાવથી જે ઈચ્છા કરો તે મળ્યા વગર ન રહે. પણ સાચા મનોરથ જોઈએ સાથે વીલ પાવર પણ જોઈએ. ભૌતિક જગતમાં ઊંધું છે. તમે જેની ઈચ્છા કરો તે તમારાથી દૂર જાય. પૈસાની સુખની ઈચ્છા કરો તો તે તમારાથી દૂર જાય. કદાચ પ્રબળ પ્રયત્ને મળી જાય તો પણ ભવાંતરમાં વધુ દુર્લભ બને. જ્યારે ઈચ્છા - અપેક્ષા વગર કરેલી ધર્મક્રિયા ઢગલાબંધ સુખો આપે છે. આ પુદ્ગલો જ રખડાવે છે, દોડાવે છે. હવે જિનશાસન પામ્યા પછી એમ થઈ જાય, મારે કાંઈ નથી જોઈતું. બસ એક મોક્ષ જ જોઈએ
છે.
આધ્યાત્મિક વસ્તુ મેળવવા ઈચ્છા કરવાની સાથે તાલાવેલી પણ જોઈએ ને સાથે પુરુષાર્થ પણ કરવાનો. એનાથી કર્મોના આવરણ દૂર થયે આ ભવે નહિ તો ભવાંતરમાં એ મળ્યા વગર ન રહે.
જંબુસ્વામી
શિવકુમાર રાજકુમારના ભવે પિતા ચારિત્રની ના પાડે છે. તીવ્ર તાલાવેલી છે છતાં અંતરાય કર્મનો ઉદય. અભિગ્રહ
Jain Education International
૧૪૫
For Personal & Private Use Only
www.jainelibrary.org