________________
થાય કે મારા શબ્દોથી ભગવાનની ભક્તિ કરું કદાચ કવિતા બનાવતા ન આવડે પણ મારી ભાષામાં ગાંડીઘેલી ભાષામાં પ્રાર્થના-સ્તુતિ કરું.
કુમારપાળ ૭૦ વર્ષ પછી જૈન ધર્મ પામ્યા. પછી મોટી ઉંમરે સંસ્કૃત શીખ્યા પછી પરમાત્માની ભક્તિ માટે જાતે સ્તુતિની રચના કરી, કહે અત્યંત નિર્ગુણ છું. દુષ્ટ છું. ત્રીજા ભવમાં ગણધર થવાના તે ગહ કરે છે. કોમળ માટીમાંથી વાસણો બને. પીગળેલા સોનામાંથી ઘાટ ઘડાય. હૃદય એકદમ કૂણું જોઈએ. આવા આત્મા ભગવાન પાસે બે જ વાત કરે (૧) પોતાની નિંદા ને (૨) પરમાત્માના ગુણોની સ્તવના. કહે હિંસક અને પાપે ભરેલો, સર્વ વાતે પૂર્ણ છું. જો તમારું આલંબન ના મળે તો આ ભીમ ભવસાગમાં ક્યાંય ફેંકાઈ જાઉ. અનંતા ભેગો નિગોદમાં જતો રહું તો કોણ બચાવે?
શ્રદ્ધા અને ભક્તિ મજબૂત કરો. કુમારપાળના આખા શરીરમાં દેવીએ કોટ રોગ કર્યો છતાં પીડાનો ભય નથી. દેવીને કહે તને જોઈએ તે બધુ આપુ પણ અરિહંતને ન છોડુ, એમની આજ્ઞા ન છોડું સાત્વિક હતા. કહે સળગી મરું જેથી લોકમાં જૈન ધર્મની નિંદા ન થાય. ઉદયનમંત્રીને વાત કરે છે. મંત્રી ગુરુ મ. ને પૂછાવે છે. અહીં એ જોવાનું કે દુનિયાનું કોઈ પણ કામ ગુરુને પૂછવા વગર ન થાય. જિનશાસન પામ્યા પછી ગુરુ માથે ન હોય એવું ન બને. માથે એક કુલગુરુ હોય. ધર્મમાં તો પૂછે પણ
(૧૩)
૧૩૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org