________________
ભગવાન પર શ્રદ્ધા કરીએ પણ ગુરુ પર ન કરીએ તો ન ચાલે. પંચ મહાવ્રતધારી ગુરુ દુનિયાની સૌથી મોટી મૂડી છે. એમના પર દૃઢ શ્રદ્ધા કરવાની. એમના છિદ્રો ન જોવાય. એમની સેવા, ભક્તિ બહુમાન કરવાનું એમને સહાયક થવાનું. એમ કરતાં ભવાંતરમાં ચારિત્ર સુલભ બને.
(૩) ભક્તિ :
તો ન જોઈએ પણ
તારક તત્ત્વો પર અરૂચિ, અસદ્ભાવ સામાન્ય માધ્યસ્થ ભાવ પણ ન જોઈએ. ? કલિકાલ સર્વજ્ઞે કહ્યું માધ્યર્થ અપિ ોષાય માધ્યસ્થપણું એ પણ દોષ માટે છે. ભગવાનને જોઈને આનંદ આનંદ થઈ જાય.
કવિ ધનપાલે તો ત્યાં સુધી લખ્યું કે જેને ભગવાનને જોઈને આનંદ ન થાય તે કાં તો કેવળજ્ઞાની છે અથવા તો અસંજ્ઞી છે. અસંજ્ઞી અટલે મન વગરના. જેમ તેમ જડની માફક ગયા ને પાછા નીકળી ગયા. નથી પ્રેમ કે નથી ભાવ ઉછળતા એ કેવી ધિટઠાઈ ! પ્રતિમાને સાક્ષાત્ ભગવાન માનવાના. આજે મારો બેડો પાર થઈ ગયો. ત્રિભુવનપતિના દર્શન થયા. દર્શન કરતા ગાંડા ગાંડા બની જઈએ.
દુનિયા ગાંડા કહે તેમાં આપણે ડાહ્યા. દુનિયા ડાહ્યા કહે તો ગાંડા. છદ્મસ્થ જીવોને ભગવાનને જોઈને મધ્યસ્થભાવ રહે, આનંદની છોળો ન ઉછળે તો સમજી રાખો કે જડતા છે. અસંજ્ઞીપણું છે. આ અનંત ઉપકારી છે. અનંત કરૂણાનો પ્રવાહ સતત વહેવડાવે છે. એમને જોઈને અંદરથી ભાવો ઉછળે. એમ
Jain Education International
૧૩
For Personal & Private Use Only
www.jainelibrary.org