________________
કરીને શુદ્ધ થઈ જાઉં ને આ વિચારમાં કેવળજ્ઞાન. કેટલાક ગુરુ પાસે પ્રાયશ્ચિત લેવા જાય છે ને રસ્તામાં કેવળજ્ઞાન પામે છે. કેટલાક પ્રાયશ્ચિતને ગ્રહણ કરતા, કેટલાક વહન કરતા કરતા કેવળજ્ઞાન પામી જાય છે.
નાનું પણ શલ્ય જો રાખી મૂક્યું તો....
જ્યારે બીજી બાજુ, લક્ષ્મણા સાધ્વી, ઉગ્ર તપ તપે છતાં એક નાનું શલ્ય હૃદયમાં રાખ્યું. ને અસંખ્ય કાળ આ સંસારમાં રખડી. અનેક પ્રકારના કુવિકલ્પોના તરંગો ચાલ્યા કરે એ ઉંચે આવવા દેતા નથી ને પટકી પાડે છે. નાનકડું શલ્ય હોય ને રખડપટ્ટી ચાલુ. મોટામાં મોટું પાપ પણ જો શલ્ય વગર પ્રાયશ્ચિતથી શુદ્ધિ કરાય તો એ જ ભવે નિસ્તાર થઈ જાય. માયાપૂર્વક પ્રાયશ્ચિત લેનારા રખડી પડે છે.
અહીં સમાધિમરણ ને પરલોકમાં સદ્ગતિ જોઈતી હોય તો શુદ્ધિ કરી લ્યો, મોટા તપસ્વીઓ, સંયમી આત્માઓ પણ નાનું શલ્ય હૃદયમાં હતું ને અંતે સમાધિ ગુમાવી જ્યારે બીજી બાજુ સરળભાવે શુદ્ધિ કરનારા સમાધિ પામ્યા. આ છે શુદ્ધિની
તાકાત!
(૨) શ્રદ્ધા :
અહીં મળેલ દેવ-ગુરુ પર અત્યંત શ્રદ્ધા ઉભી કરી દેવાની. હું જે કાંઈ પણ છું તે મારા દેવ-ગુરુની કૃપાને કારણે. મારા અરિહંતની તુલનામાં કોઈ ન આવે. મારા ભગવાનનું વચન જ પ્રમાણ. તેની ખાતર માથુ આપી દઈશ.
Jain Education International
૧૩૬
For Personer & Private Use Only
www.jainelibrary.org