________________
સંસારમાં ય પૂછે. ગુરુ એવી સલાહ આપે કે જેથી ઓછામાં ઓછા પાપે કામ થાય. આટલો મોટો સંસાર તરવો છે તો માથે ગુરુ જોઈએ. કલિકાલસર્વજ્ઞ મંત્રિત પાણી આપ્યું. રાજાનો કોટ દૂર કર્યો ને દેવીને મંત્રથી પકડીને એની પાસે ક્ષમા મંગાવી.
सर्वं सत्वे प्रतिष्ठितं । અહીં, કુમારપાળનું સત્વ જોવા જેવું છે. સત્વ બહુ મહત્વની વસ્તુ છે. યશોદેવ સૂરિ મ. ૩૬-૩૦ વર્ષની ઉંમરે દીક્ષા લીધી. શ્રીમંત કુટુંબમાંથી આવ્યા હતા. દીક્ષા પહેલા સાહેબ પાસે આવે. સાહેબ કહે. ક્યાં સુધી સંસારના કાદવમાં પડયા રહેવું છે? મુદત પાડયા કરે પણ અહીં સત્વ જુઓ એકવાર બાધા લીધી, ચોમાસા પહેલા દીક્ષા ન થાય તો ઉપવાસ કરવા ને દીક્ષા થઈ ગઈ. ઉપમિતિમાં સૌથી વધુ વખાણ સત્વગુણના કર્યા. સત્વશાળીને બધા ગ્રહો અનુકુળ થઈ જાય. સત્વ બહુ ઉંચો ગુણ છે.
કુમારપાળ સત્વશાળી છે. સંકલ્પ કરે છે-છએ વાતુના ફૂલથી ભગવાનની આંગી ન કરું ત્યાં સુધી આહાર-પાણી ત્યાગ. સત્વશીલને દેવતાય સહાય કરે. બીજે દિવસે ઉધાનમાં છ એ ઋતુના ફૂલ એકસાથે ઉગ્યા છે. સત્વ વગર કામ ન થાય. દરેક કાર્યમાં સત્વ ફોરવવાનું - હવે અહીં દુષ્કૃત ગહનો આલાવો બતાવતા કહે છે,
.
(૧૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org