________________
ગોશાળો ભગવાન સામે પડ્યો :
ગોશાળો ભગવાનને કહે છે, “હે વર્ધમાન ! મારી તેજલેશ્યાથી તું બળ્યો નથી પણ છ માસમાં મરી જશે.' આ ઉપસર્ગ તીર્થકરપણામાં આવ્યો એ પણ એક અચ્છેરું. ભગવાન કહે મારે તો ઘણા વર્ષ જીવવાનું છે પણ તારે તો ૭ મા દિવસે જ મરવાનું છે. તેજલેશ્યા ગોશાળાના શરીરમાં પેઠી છે, એ અંદરથી બળે છે. ૭ દિવસ સુધી હેરાન પરેશાન થાય છે. પણ છેલ્લા દા'ડે એમ થયું કે આ તો મારા ગુરુ હતા. મારા જેવો પાપી કોણ ? બે સાધુને બાળી નાખ્યા. અહીંથી મરીને ક્યાં જઈશ? આગલી રાતે ઘોર પશ્ચાતાપ થાય છે. અચરમાવતમાં આપણે પણ ગોશાળા જેવો જ
અચરમાવતમાં આપણે આ ગોશાળા જેવા જ પાપો કર્યા છે. રોજ ભગવાનને કહો - મુજ સમ ખલ કો નહિ સ્વામી ! ખલ એટલે શઠ, લુચ્ચો. કારણ બીજા બધા જગતને છેતરે છે. હું ભગવાનને, સાધુને, સાધર્મિકને છેતરું છું. ભગવાન! તે નિગોદમાંથી કાઢીને અહીં મૂક્યો ને મેં તારું જ કહ્યું ન માન્યું. તેં આવ્યવો બધા છોડવાના કીધા ને મેં વધાર્યા. આ સામે જ પડયા ને? ભગવાન કહે આ હિંસા, ચોરી, જૂઠ, મૈથુન કરવા જેવા નથી. આનાથી તું નરકમાં જઈશ ને આપણે કાંઈ ના માન્યું. ભગવાને બ્રહ્મચર્યનું પાલન કરવા કહ્યું ને આપણા મન - વચન - કાયાના કાંઈ ઠેકાણા નહિ, વાસનાના ભડકા બળ્યા જ કરે.
૧૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org