SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ પેલી રૂક્ની કેટલી પવિત્ર સાધ્વી માત્ર એક દષ્ટિરાગનું શલ્ય પડયું હતું તો ૧ લાખ ભવ ભટકી. એક દોષ બીજા ભવમાં ગુણાકાર થતા જાવ. પુણ્ય પરવારે ને ઘોરાતિઘોર દુર્ગતિઓ ઉભી થઈ જાય. દુકૃત ગહ-ગોશાળાનું દષ્ટાંત ભગવાન પર તેજલેશ્યા મૂકનારો, બે સાધુને બાળી નાખનારો ગોશાળો દુકૃતનિંદાથી સમકિત પામી ગયો. ગોશાળો આગલા ભવમાં ગુરુની સામે થવાનું શલ્ય લઈને આવ્યો છે. ઘણા આચાર્યોની અવગણના, હેપ કર્યા છે. જે આચાર્ય કે સાધુઓ સામે બેફામ બોલે, નિંદા કરે તે બધા ગોશાળા જેવા થવાના. મહાત્મા સાથે કલેશમાં પડવું નહિ. સાધુ પ્રત્યે સહેજ પણ દુભવ ન થાચ તેમ વર્તવાનું આગલા ભવમાં સાધુની સામે તો બીજા ભવમાં ભગવાનની સામે પડયો. સંસ્કાર એવા પાડયા હતા કે ભગવાન પર તેજલેશ્યા મૂકનારો થયો. ભગવાનને છ મહિના લોહીના ઝાડા થઈ ગયા. ભગવાને જ એને તેજલેશ્યા શીખવી ને તેમના પર મૂકી. આજે કદાચ તિર્થંકર પ્રત્યે રાગ હોય છતાં ગુરુ પ્રત્યે જ તિરસ્કાર, દ્વેષ, અવગણના હોય તો તેના વિપાક અતિશય ભયંકર કોટિના આવશે. જે સાવ ચારિત્રથી ભ્રષ્ટ હોય તેમની પાસે ન જઈએ પણ જે થોડા શિથિલ હોય તેમની પણ નિંદા ના કરવી. ૧૨૬ For Persona a private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy