________________
આ બાજુ, બીજા રાજાઓ રાજ્યમાં જાહેર કરે છે કે આ ઘોડાને કોઈ મારી નાખે તો માંગે તેટલું ઈનામ. એક જણે બીડુ ઝડપ્યું. નગરમાં આવ્યો અશ્વશાળામાં ઘોડો જોવા આવે છે ને સહેજ નાના તીરથી કાંટો શરીરમાં પેસાડી દે છે.
આ કાંટો વાગ્યો છે સાધારણ, દેખાતા ખબર ન પડે. પણ ઘોડો દિવસે દિવસે સૂકાવા લાગ્યો... મહારાજા ચિંતામાં આવ્યા. વૈદોને બોલાવ્યા પણ કંઈ ખબર ન પડી. પણ એક અનુભવી હતો. આખા શરીરે ભીની માટી લગાડી. એક જગ્યાએ વહેલુ સૂકાયું અને ખબર પડી કે અહીં કાંટો છે. તરત કાઢી નાખ્યો. ઘોડો ફરી હષ્ટપુષ્ટ થઈ ગયો. શલ્ય નીકળે તો કામ
થાય.
શલ્ય, નાનું છતાં ભયંકર ઃ
રૂકમીને આચાર્ય આ જ સમજાવે છે આ શલ્યને હૃદયમાં રાખ નહિ. ઘણાને શલ્ય ખૂંચે છે, યાદ આવ્યા કરે છે પણ શલ્ય કાઢવાની કે કઢાવવા જવાની તાકાત નથી. દુષ્કૃતગર્હામાં આ કરવાનું છે. ગીતાર્થ પાસે જઈને પ્રગટ કરી દેવાના.
ગુરુને પણ કીધું છે કે કોઈના પાપ બીજા આગળ કહેશો તો નરકમાં જશો. શાસ્ત્રે કોઈ તમારા આશરે આવે, વિશ્વાસથી તમને કહે, પોતાના આત્માની શુદ્ધિ કરે ને તમે જો ગંભીર ન બનો, તમારા મનમાંથી લીકેજ થાય તો આચાર્યનો પણ અનંત સંસાર વધી જાય. ૪ કાન સિવાય કોઈ ન જાણે. બે તમારા ને બે આચાર્યના.
Jain Education International
૧૨૫
For Personal & Private Use Only
www.jainelibrary.org