________________
નાખે, બાફી નાખે. ભાલા ભોંકે. પરમાત્મા કહે, એક નવકારશી કર તો ૧૦૦ વર્ષના નારકીના દુખ અહીં જ કપાઈ જશે. અહીં તો સાધુના દર્શન માત્રથી પુણ્ય મળે. પશુ-પક્ષી પણ સાધુનાં દર્શન કરતા એ વખતે આયુષ્યનો બંધ પડે તો મનુષ્યભવ ફીક્સ થઈ જાય. આ ધર્મજન્મ, દેવ ગુરુ મળ્યા પછી હવે છૂટી જશે તો ભવાંતરમાં શું? મોટા ભાગના મનુષ્યો મરીને તિર્યંચ થાય છે.
મનુષ્યને આર્તધ્યાનની બહુલતા છે. ૨૪ કલાક મનવચન-કાયા ક્યાં દોડે છે એ ચેક કરવાનું કાયા કરતાં વાણી વધારે ચપળ ને મન તો સૌથી વધુ. વાણીને હજુ કંટ્રોલમાં રાખી શકાય. પણ મનનું શું? મોટેથી નમસ્કુર્ણ બોલતા હોઈએ ને મન તો ક્યાંય રખડતું હોય. આપણે કઈ મૂડી પર સદ્ગતિની અપેક્ષા રાખી શકીએ? આંખમાંથી આંસુ પાડીને ભગવાનને કહેવાનું “મુજ સમ ખલ કો નહિ સ્વામી મુજ સમ ખલ કો. નહિ દિવસમાં દેવ-ગુરુ કેટલી વાર યાદ આવે?
પરમાત્મા-તમારો ઉપદેશ તો ક્યાંય મૂકી દીધો ને હું અર્થ ને કામની પાછળ દોડયો. ભગવાને નિગોદમાંથી બહાર કાઢી અહીં લાવ્યા. ભગવાનની ઈચ્છા હતી કે આ હવે સંયમ પાળે, આરાધના કરે કે અહીંથી ૨-૪ ભાવમાં નિસ્તાર થઈ જાય. પણ આપણે ભગવાન સાથે કેટલો સંબંધ રાખ્યો? માત્ર સવારનો અડધો કલાક !
૧૨ For Personal Private Use Only
Jain Education International
www.jainelibrary.org