SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ આ મળેલી સંપત્તિ એ આપણી બુદ્ધિથી કે ભગવાનના પ્રભાવથી ?કોઈ કહે ભાગ્યથી, પણ એ ભાગ્ય ક્યાંથી આવ્યું? કોઈ દેરાસરમાં રૂપિયો નાખ્યો તેના આજે લાખ મળ્યા છે. આ સ્વાસ્થ્ય મળ્યું કારણ કોઈ પશુને કતલખાનામાંથી છોડાવ્યા હતા. પણ એ બતાવનાર કોણ હતા ? અંધકારમય દુનિયાને રાહ દેખાડનાર પહેલા ભગવાન હતા. આ ભગવાન આગળ હવે ખુલ્લા દિલે એકરાર કરીને પાપનિંદા કરવાની કે પરમાત્મા ! મેં ન કરવા જેવું કર્યું, મને ક્ષમા કરો. (૨) પાપનિંદા બીજાની સાક્ષીએ કરવાની. કોઈ મોટા જાહેર પાપો હોય તો તેની નિંદા જાહેરમાં કરવી પડે, જાહેરમાં ક્ષમા માંગવી પડે, પણ અંગત પાપો હોય તેની એક ગીતાર્થગુરુ પાસે આલોચના કરવાની. બધા પાપો પ્રગટ કરવાના અને ગુરુ મહારાજ જે પ્રાયશ્ચિત આપે તે વહન કરવાનું. જે આ રીતે કરે એ મહાન આદરને પાત્ર છે. કારણ બીજા ધર્મ કરવા સહેલા છે પણ પોતાના પાપ પ્રગટ કરવા એ અઘરા છે. ચક્રવર્તીને કદાચ કહેવામાં આવે કે તારા પાપ ગુરુ આગળ પ્રગટ કર અથવા તો છ ખંડનું રાજ છોડી દે તો એ રાજ છોડી દે પણ ગર્ભ ન કરે. હા, પણ જો જ્ઞાનીના વચન અપનાવતા જઈએ તો કાંઈ અઘરું નથી. વળી, પ્રાયશ્ચિત માટે કહ્યું કે પ્રાયશ્ચિત યોગ્ય ગુરુ ન મળે તો ૭૦૦ યોજન સુધી એની શોધ કરે, અને ન મળે તો ૧૨ વરસ સુધી એને શોધે. આ બહુ Jain Education International ૧૨૩ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy