________________
એ જ મોટો દોષ છે. એના વગર સાક્ષાત્ કેવળજ્ઞાની સમજાવે તો પણ ઉદ્ધાર ન થાય. અનાદિના આ સંસ્કારો જામ છે. એટલે કેવળજ્ઞાની સમજાવે કદાચ એકવાર માની લઈએ પણ હૃદયમાં ન ઉતરે જેના પર તીવ્ર રાગ હોય એ પાપ, પાપ રૂપે લાગતું નથી પાપને પાપરૂપે સ્વીકારવું તે સમક્તિ અને પાપરૂપે ન સ્વીકારવું તે મિથ્યાત્વ.
આપણે પાપ પાપરૂપે સ્વીકાર્યા નહિ. સાક્ષાત્ ભગવાન ઉપકાર કરવા આવ્યા, આપણો હાથ પકડયો તો આપણે સામેથી હાથ છોડી દીધો, હડસેલી દીધો. ભગવાનની વાણી ન સમજ્યા ને સંસારમાં જ અટવાયા રહ્યા પણ હવે તિર્યંચ, નારકીમાં જવું પડશે, જન્મ મરણ કરવા પડશે. પહેલા આપણે જ ઉપેક્ષા કરી હવે ભગવાન પાસે પાછા જવું કેવી રીતે ? પગ ઉપડે ખરા. અગણિત પાપો કર્યાં આંખે અંધારા લાવી દે એવા આ બધા દુષ્કૃત ગર્હણીય છે.
કર્મ ભોગવ્યા વિણ છૂટકો નથી :
આ જીવ અનંતા કર્મ કરીને આવ્યો છે. એવા પાપ કર્યા છે કે આજે આપણા જ પાપ આપણે મોઢેથી બોલી પણ ન શકીએ. તીવ્ર આર્ત-રૌદ્રધ્યાન કર્યા છે. અહીં આવીને બધા પાપનો નિકાલ કરવાનો હતો એને બદલે દિશા બદલાઈ જ ગઈ. અહીં આવીને પાપ વધારવાનું જ કર્યું. જ્યાં અરિહંત મળે ત્યાં તો દેવું સરળતાથી ચૂકવાઈ જાય. નહિ તો હૂસ નીકળી જાય. તિર્યંચનો ભવ હોય તો ક્તલખાનામાં પહોંચીએ ને માથુ ને ધડ અલગ થઈ જાય. નરકમાં જઈએ ને પરમાધામી શેકી
Jain Education International
૧૨૧
For Personal & Private Use Only
www.jainelibrary.org