________________
પરિગ્રહનો ભાર લાગે ખરો ? સામાન્ય રીતે વ્યાખ્યાનમાં જોવાય કે પૈસાદાર આગળ આવીને બેસે ને સામાન્ય માણસ પછી બેસે પણ એ વખતે પૈસાદારને એમ લાગે કે મારી પાસે કરોડ છે હું પરિગ્રહના પાપથી ભારે છું. મારે પાછળ બેસવું જોઈએ. સાચો શ્રાવક સંપત્તિ વધુ જોઈને આત્માને ધિક્કારે. આટલા દાગીના, રૂપિયાને શું કરવાનાં છે ? કોના માટે છે ? આની મૂછ ઉતારું તો કેટલાય સાધર્મિકની ભક્તિ થાય. હું જ પાપી છું, લોભીયો છું. આ રૂપીયા દ્વારા સાત ક્ષેત્રની ભક્તિ કરીને પુણ્યાનુબંધી પુણ્ય મળતું હોય તો કેમ નહિ કરવાનું? પણ જીવ મૂર્શિત છે.
દુષ્કૃત-ગહથી સમકિત. દુષ્કતને દુષ્કૃત તરીકે સ્વીકારવાના ને એની સમ્યગ ગહ કરવાની. એ મોટામાં મોટી આરાધના છે. નરકના જીવો સમકિત કેમ પામે? નારકીમાં પણ અસંખ્ય જીવો આજે પ્રથમ સમકિત પામે છે. આપણને અરિહંત, જિનપ્રતિમા, સાધુના દર્શન, ભક્તિ, સિદ્ધગિરિ મળ્યું ને આપણે પામીએ પણ નારકીને તો કાંઈ જ નથી મળ્યું છતાં તે દુષ્કતગહની આરાધનાથી સમકિત પામે. જાતિસ્મરણથી આગલા ભવ યાદ આવે. હું પપી હતો. નીચ હતો. ભયંકર પાપો કર્યા છે એ વિચારતા, ગહ કરતા કરતા મોહનીચના પડલ ખસી જાય ને સમકિત પામી જાય.
ક્યારે થશે મારા ભવનો રે અંત ઃ આપણામાં પાપમાં અકર્તવ્યપણાની બુદ્ધિ નથી આવતી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org