________________
છે, અજ્ઞાન છે. જેટલો પરિગ્રહ જોરદાર એટલા પાપના થોકે થોક આત્મા પર ચોટે છે. દુનિયાના બધા અર્થો અનર્થન કરનારા છે. અને કામને કાતિલ ઝેર કીધું છે. તરત જ આત્માની કતલા કરે. આ બધા પાપો હરખીને કર્યા છે. હવે નિંદા કરો. અર્થ અને કામનો પ્રતિપક્ષી જ ધર્મ કરી શકે. જે ધર્મ કરીએ છીએ એ પણ ગતાનુગતિક. ધર્મી કુળમાં જન્મ્યા એટલે થોડો ધમી કરીએ પણ અર્થ અને કામની મૂછ ઉતારવાનો પ્રયત્ન કેટલો ? ધર્મ કરતા પણ એ આશય બેઠો હોય કે ધર્મના પ્રભાવે વધુ સારા અર્થ અને કામ મળે આ બધા અશુભ અધ્યવસાયના ઘણા ગોટાળા છે. વિશુદ્ધ ભાવના નથી. બહુ મૂછ છે. આ જીવનો ઉદ્ધાર ક્યારે થશે ? .
મૂળ વાત એ જ છે કે હજી આપણને દુકૃતો દુષ્કૃત રૂપે લાગ્યા જ નથી. હિંસાનું પાપ એ કદાચ પાપ લાગે પણ પરિગ્રહનું શું? પગ નીચે દેડકો આવી જાય તો પ્રાયશ્ચિત લેવા દોડીએ પણ પૈસા પર બહુ રાગ થાય છે, સાહેબા પ્રાયશ્ચિત આપો એમ બન્યું છે ખરું ? ગયા વર્ષે બહુ કમાયા, સાહેબ પ્રાયશ્ચિત આપો એવું બને ખરું?
અર્થ અને કામથી ખૂબ છેટા રહેવાનું છે અમારા પ્રેમસૂરિ મ. અમને બે વાત શિખવાડી છે. (૧) સ્ત્રી અને (૨) પૈસા ની પંચાતમાં ન પડતા. ધર્મ માટે પણ પૈસા મેળવવા શ્રાવકને વાત નહિ કરવાની. આ બે પાપથી બચે તો જ સાધુતા મજબૂત ટકે.
(૧૯)
૧૧૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org