________________
બીજાનું મોટું પાપ નાનું લાગવું જોઈએ. આપણો મોટો ગુણ નાનો લાગવો જોઈએ. બીજાનો નાનો ગુણ મોટો લાગવો જોઈએ.
આ કરવાથી જ ધીરે ધીરે આત્મા ઘડાય છે. ભવ્યત્વનો વધુ પરિપાક થાય છે.
વધુ ને વધુ દુષ્કતની ગહ કરવાની છે. ભગવાનને કહેવાનું-હું અર્થ અને કામ પાછળ લંપટ છું. રાત-દિવસ એની પાછળ દોડયે જાઉં છું. જેનો આપે તો સંપૂર્ણ ત્યાગ કર્યો. આપે તો વરસીદાન દીધું. વરસ પહેલા બધુ દેવાનું શરૂ કરી દીધું અંતે તો વસ્ત્ર, મુગટ, વીંટી, અછોડો બધું ઉતાર્યું કે જેની પાછળ હું પાગલ છું. આપણો મેળ ક્યાં પડે ? તમે કુટુંબ છોડયું ભાઈ, પત્ની, દીકરી, જમાઈ બધાને છોડી દીધા. ૧૨ાા વર્ષમાં કોઈને યાદ પણ નથી કર્યા. આવા મહાવીર ભગવાનની રોજ પૂજા કરનારા, સ્તવન કરનારા અમે, તમે જે છોડયું એની પાછળ ગાંડા છીએ. ભગવાને છોડયું આનંદપૂર્વક. સંપત્તિને દુશ્મન માની. એ પાપ કરાવનારી છે.
આ જીવનો ઉદ્ધાર ક્યારે થશે? પગની રજ જેમ છોડીએ એમ ભગવાને સંસાર છોડી દીધો જ્યારે આપણે એવું બન્યું ખરું કે ૨૫ લાખ કમાયા ને એકાંતમાં જઈને એ પાપને કારણે રડયા? આ ખોખા પેટી એ સાપના ભારા છે. એમ લાગ્યું ખરું? પણ મૂછ
mational
૧૧૮ For Persdal &
For Pe (1925) ate Use oni
Jain Education International
vate Use Only
www.jainelibrary.org