________________
કરનારો છું. હિંસા અને પાપ કરનારો છું. માયા-મૃષાવાદી છું.
મારા જેવો પાપી-અધમ આત્મા બીજો કોઈ નથી...
દુનિયામાં બીજા પાપી, જેને દેવ-ગુરુ જ નથી મળ્યા તે કદાચ ક્ષમ્ય છે પણ મને તો ઉત્તમોત્તમ વસ્તુ મળી છતાં મેં પાપો ન છોડયા. હું તો જિનશાસનનો મેમ્બર! માથે દેવ-ગુરુ છે. સંસ્કારી કુટુંબ મળ્યું છે. એનાથી જવાબદારી વધી જાય છતાં બધું ભૂલી ને પાપમાં રાચ્યો.
રોજ પ્રભુને પ્રાર્થના કરો કે,
પરમાત્માને હવે પ્રાર્થના કરવાની, પ્રભુ મારી લાયકાત, યોગ્યતા નથી, ‘કેવા સુંદર પ્રભુ તમે ને કેવો પાપી હું.' તમે શિખર પર ને હું ખીણમાં! તમારી કૃપા ન થાય તો હું નિગોદમાં જ જવાનો છું. ‘પણ' આશાનું એક કિરણ તમારી કૃપાદૃષ્ટિ છે. તમારી કરૂણા-અમી વરસાવો ને મારું કલ્યાણ થાય આ જીવ બહુ પાપી છે. એવા સંસ્કાર પાડયા છે કે હવે એને તમારા વિના કોણ બચાવી શકશે ? ૭ મી નારકીમાં જઈએ એવા કર્મ પડયા છે. ૮૪ લાખ યોનીમાં રખડાવે એવા કર્મ પડયા છે. તેમાંથી છોડાવનાર આ ૩ જ છે. પણ આ મૂર્ખ શરણે જવા તૈયાર નથી.
પાપની નિંદા કરતાં એમાં અકર્તવ્યભાવ આવવો જોઈએ. મેં ન કરવા જેવું કર્યું ને એ લાવવા આ ચઉભંગી સ્વીકારી
લો કે.
આપણું નાનું પાપ મોટું લાગવું જોઈએ.
Jain Education International
૧૧૭
For Personal & Private Use Only
www.jainelibrary.org