________________
જિનશાસનની સેવા : અનંત ઉપકારી પરમાત્માએ ભયંકર આરંભ સમારંભવાળા જીવોનો પણ ઉદ્ધાર થાય એના માટે જિનશાસનની સ્થાપના કરી. સાત ક્ષેત્ર બતાવ્યા. દ્વારિકા નગરીમાં બે વેધ. બંનેના ખૂબ આરંભ સમારંભ, છતાં એમાં એકનો સ્વભાવ સારો ને બીજાનો વાંકો. એક સાધુ મ.ની તબિયત નરમ પડી. વૈધ પાસે ગયા. પહેલા વાંકા સ્વભાવવાળા વૈધ પાસે ગયા. એણે કહ્યું આ દવા મધ સાથે લેજો... સાધુ કહે મધ અમને ન ખપે, બીજો ઉપાય બતાવો. તો કહે- બીજો કોઈ ઉપાય નથી. આ દવા છે, લેવી હોય તો લો. નહીતર રવાના થઈ જાવ. સાધુનું અપમાન અવગણના કરી. આ ક્ષેત્રો પૂજ્ય છે. તેની માનસિક પણ અવગણના થાય તો વિપાક ભયંકર ભોગવવો પડે. સાધર્મિક પણ મહાન છે. તેની પણ ઉપેક્ષા ન કરાય... એમાં જ કો'ક તિર્થકર, ગણધરનો પણ જીવ હોય.
શાસન એટલે રત્નોની ખાણ : પ્રસંગ આવે છે-બે સાધર્મિક યાત્રા માટે નીકળ્યા. સવારે એક ગામમાં વ્યાસણુ કરીને સાંજે બીજે ગામ પહોંચ્યા. આ ગામમાં એક વ્યક્તિ સાધર્મિકની જબરજસ્ત ભક્તિ કરે. પણ આજે રસોડુ સહેજ વહેલુ બંધ થઈ ગયું. ને એમની ઉપેક્ષા કરી, જવા દીધા. એ લોકો વ્યાસણ ન કરી શક્યા. સવારે બીજા સ્થાને પહોંચ્યા...
પછી આ ગામમાં કો'ક જ્ઞાની ગુરુભગવંત પધારે છે.
(૧૦૦)
૧૦.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org