SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ કાંઈ થવાનું નથી. હવે, નક્કી કરો, જે પરલોકમાં આવશે તે જ ભેગું કરવું છે. અરે ! અહીં જેટલુ વોસિરાવ્યા વગર જશો તેના બધા પાપના પાર્સલ ભવાંતરમાં સાથે ને સાથે આવશે. ઝાડના જીવે પોતાનું શરીર ઊભું કર્યું. હવે મુખ્ય ઝાડનો જીવ ત્યાંથી ચ્યવીને બીજા ભવમાં જાય ને પછી કોઈ ઝાડને કાપીને કુહાડો બાણ બનાવે ને તેનાથી શિકાર કરે તો એ શિકારનું પાપ કોને ? શિકારીને + ઝાડના જીવને પણ પહોંચે. આ અધિકરણાદિના પાપો બહુ ખતરનાક છે. અર્થ ને કામમાં ગુમાવ્યું... શ્રાવકનું જીવન આખું સાદાઈમાં જાય. પણ આ મૂર્ખા જીવે બાળપણ રમવામાં ને યુવાની મોજ-શોખમાં ઉડાવી . અહીં તો ચારિત્રની શક્ય એટલી સાધના કરી લેવાની હતી. પણ આ જીવ હંમેશ અર્થ અને કામ પાછળ અતૃપ્ત બનીને ફર્યા કર્યો. આખું જીવન તેની પાછળ ખલાશ કરી નાખે છે ને છેલ્લે રડતો રડતો પરલોક જાય છે. ૧ કરોડ રૂા. નહિ પણ ગણેલો ૧ નવકાર સાથે આવશે. સાધુની ભક્તિ, વૈયાવચ્ચ કરી હશે તો ભવાંતરમાં સાધુ મળશે. દુષ્કૃતની ગર્હા કરવી છે. દુષ્કૃત એટલે અર્થ ને કામ. આ અર્થ ને કામ પાછળ જે જીવન વેડફીએ છીએ, જે ઉચ્ચ ભાવોને વેડફીએ એ જ દુષ્કૃત, અર્થ અને કામમાં આસક્ત મન ક્યા પાપ ન કરે ? એને જિનવચનથી કંટ્રોલમાં રાખવાનું છે. Jain Education International ૧૦૬ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy