________________
કુમારપાળ... રાજ્ય નહોતુ મળ્યું ત્યારે જંગલમાં રખડતા એક ઝાડ નીચે બેઠા હતા ત્યારે બાજુના દરમાંથી એક ઉંદર નીકળીને સોનામહોરની ઢગલી કરીને નાચે છે. આ અનાદિના સંસ્કાર જ છે. જીવ અર્થ અને કામની પાછળ સદા અતૃમ છે. ક્યારેય તૃપ્ત થવાનો નથી.
- તૃષ્ણાનો અંત નથી... રાજકારણીઓ પાસે અબજો રૂપિયા છે છતાં તૃપ્તિ નથી. હજી વધુ રાજ્ય જોઈએ. પછી P.M. થયું છે. કદાચ એ મળી જાય તો શાંતિ થાય? ના ચકવર્તીનું છ ખંડનું સામ્રાજ્ય મળી જાય પછી શાંતિ ખરી? ના પછી દેવલોક જોઈએ. દેવોને ઈન્દ્ર થવું છે. ઈન્દ્ર થયા પછી શાંતિ ખરી? ના આયુષ્ય પૂરૂ થઈ જવાનો ભય ! આ અર્થ ને કામ, એ બે મોહરાજાના સવાર આપણને રખડાવે છે.
જે જીવનમાં સુંદર ચાત્રિ પાળી શકાય છે, ભવ્ય આરાધના કરી શકાય છે, આત્માની ઉન્નતિ કરી શકાય છે. તેવા સંયોગ છતાં માણસ અર્થ ને કામ પાછળ દોડે છે. સવારે બાંધેલો કિલ્લાનો પ્રવેશદ્વાર રાતે પડી જતો હતો એમ આખી જીંદગીનું ભેગુ કરેલું મૂકીને ચાલ્યા જવાનું અને પાછા આવતા ભવમાં દરિદ્રપણે જન્મો તો બધુ ફરીથી એકડે એકથી ઘૂંટવાનું. આયુષ્યનો ભરોસો નથી. બાપ રહે ને દીકરો ઉપડી જાય એવા ઘણા દાખલાઓ છે. જગતના બધા જીવો બીજાને “રામ-રામ' કરવા જાય છતાં પોતાને માટે એમ જ અભિમાન છે કે મને
૧૦૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org