SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ આ પૂછે છે. મારી કોઈ ભૂલચૂક હોય તો બતાવો. ગુરુ મ. કહે છે પેલા બે તારા રસોડેથી એમનેમ ગયા તેમાં એક તીર્થકરનો જીવ હતો ને એક ગણધરનો જીવ હતો. પાત્ર જેટલું ઊંચુ તેટલું ભક્તિનું ફળ વધારે. એમને જમાડયા હોત તો ૧ લાખ શ્રાવકનો લાભ મળત. ચતુર્વિધ સંઘ એ મોટામાં મોટું પાત્ર છે. સંઘ એટલે રત્નોની ખાણ... એમાંથી જ એકેક એવા રત્નો પેદા થાય જેનાથી સેંકડો જિનમંદિરોની રક્ષા થાય. ભામાશા આ સંઘમાં જ હતા. જેણે પ્રતાપ સામે તિજોરી ખુલ્લી મૂકી દીધી. આખા મેવાડના ૩૦૦ જિનમંદિરોની રક્ષા કરી. આજના કાળે કુમારપાળ વી. શાહ કેટલાય જિનમંદિરોના જિર્ણોદ્ધારના કાર્યો કરે છે. આ સંઘમાં એવી ચ શ્રાવિકાઓ છે જે પોતાના દિકરાને જિનશાસનના ચરણે ધરી દે છે. એક ગર્ભવતી શ્રાવિકા પાલિતાણામાં દાદાને કહે છે આ દિકરો જે જન્મશે એને તારા ચરણે ધરી દઈશ (મહાબોધિ મ.) સંઘ પર વાત્સલ્યભાવ જોઈએ ? આ સંઘ તો રત્નોની ખાણ છે. આ પાંચમાં આરામાં, કલિકાળે જુદા જુદા ગચ્છો, સમુદાયો છતાં પણ સંઘ મહાન છે. આજે સંઘના શત્રુંજય, ગિરનાર, રાણકપુર-આ બધી જેન સંઘની કુલ સંપત્તિ કેટલી થાય? એના રક્ષણની જવાબદારી ખરી ને ? સાધુ સાધ્વીના આહાર ઔષધની પણ ચિંતા આપણે કરવી પડે. આ મહાન સંઘ છે. તેના પ્રત્યે પ્રેમભાવ, વાત્સલ્યભાવ ઊભો કરવાનો. આ રત્નોની ખાણ છે, જેમાં આપણને ઉત્પન્ન ૧૦૮ For Personare Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy