________________
સિક્કો છે, બીજા રાજ્યમાં જાય છે. રાજા પાસે જાય છે. સિક્કો બતાવે છે. પૂછે છે આ કોનો સિક્કો છે કહે, “અરે ! આનું નામ ન લેશો, નહિ તો ખાવા નહિ મળે.” રાજા પરીક્ષા કરે છે ત્યાં જ ભાણું મંગાવે છે. કહે-હવે નામ બોલો, “પેલાએ રૂકમી એવું નામ લીધું ને એટલામાં જ નીચેથી મોટો અવાજ સંભળાયો. દુશ્મન રાજા ચડી આવે છે.... આ બધુ શાસનદેવીએ ગોઠવ્યું હતું. જેની પાસે ઉત્તમ કોટિનું ચારિત્ર હોય તેની સેવામાં શાસનદેવો આવે. આપણી પાસે ન આવે... કેમ કે નથી ચારિત્રના ઠેકાણા, નથી શુદ્ધિના ઠેકાણા.
અહીં સામંત મંત્રી શાસનદેવને પ્રાર્થના કરીને દુશ્મન રાજાને થંભાવી દે છે, પછી રાજા અને મંત્રીપદ આપવા તૈયાર થાય છે. પણ કહે હવે એ ન જોઈએ. હવે તો વાળનો લોચ. સંયમ લે છે. કાળે કરીને અવધિજ્ઞાન થાય છે. સર્વત્ર વિચારે
છે...
ભૂલનો અસ્વીકાર : આ બાજુ રૂક્ની પણ પછી એમની પાસે ચારિત્ર લે છે. હવે અંતે અણસણ કરવા સમેતશિખર જાય છે. અંતે સંલેખના કરે છે. પણ એ પહેલા શુદ્ધિ કરવી પડે. બધા દોષો ગુરુ આગળ પ્રકાશિત કરવા પડે, પ્રાયશ્ચિત લઈને શુદ્ધિ કરવી પડે, પહેલાં શુદ્ધિ પછી અણસણ. રૂમીએ બધા અતિચાર આલોવ્યા પણ પેલા પ્રસંગની આલોચના ન કરી.. પોતે અવધીજ્ઞાની છે અને એ રાગદ્રષ્ટિની વાત પોતાની સાથે જ બની છે... આચાર્ય
(૧૦૩)
૧૦૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org