SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ નીચે વાલીમુનિને જોઈને ક્રોધાંધ બને છે. હજુ મને હેરાન કરે છે... રાવણ નીચે ઉતર્યો, અષ્ટાપદની તળેટીમાં આવ્યો. નીચે ગુફામાં પેઠો, વિચારે છે કે આખા અષ્ટાપદને ઉપાડી વાલી સાથે લવણસમુદ્રમાં ફેંકી દઉં. ૧૦૦૮ વિધાઓની સહાય લીધી. સહેજ પર્વત ઉંચકવા પ્રયત્ન કરે છે ને એટલામાં ચારેબાજુ પથ્થરો પડવા લાગ્યા. વાલીમુનિ તીર્થ રક્ષા કરે છે. વાલીમુનિનું ધ્યાન ગયું. આ પ્રાંસાદ પર આટલો મોટો ઉપદ્રવ ! ઉપયોગ મૂક્તાં જુએ છે કે રાવણ અષ્ટાપદને લવણ સમુદ્રમાં ફેંકવા તૈયાર થયો છે છતાં વાલીને રાવણ પ્રત્યે ખરાબ ભાવ નથી જાગતો. શાસનના પ્રત્યનિક દુશ્મનોને અવસરે ભયંકર શિક્ષા કરવી પડે તો પણ હૃદયમાં દ્વેષ-અરૂચિ ના જોઈએ. વાલીમુનિ વિચારે છે આ રાવણ શું કરી રહ્યો છે. અષ્ટાપદ સહિત મને લવણ સમુદ્રમાં ફેંકવા તૈયાર થયો છે. મને એના પર દ્વેષ નથી છતાં તીર્થરક્ષાની મારી ફરજ છે. એટલે પગના અંગુઠાથી પર્વતને દબાવે છે. એટલે બખોલમાં પેસે રાવણ એક મોટી બૂમ મારીને બહાર નીકળે છે ને મોંમાથી લોહીની ઉલટી થાય છે. મૂળ વાત એજ કે તીર્થરક્ષા વખતે પણ દ્વેષ, અરૂચિ - તિરસ્કાર ન જોઈએ. એની ઉપેક્ષા પણ ન કરાય. તીર્થરક્ષા ૯૮ For Personalvate Use Only ૮) Jain Education International www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy