________________
માટે જે કરવું પડે તે કરવું જ પડે. યોગ્ય પગલા લેવા જ પડે. પણ પ્રત્યનિકો પ્રત્યે દ્વેષ રાખીએ તો આપણે ડૂબી જઈએ.
પ્રેમસૂરિ મહારાજે ચંદ્રશેખર મ. ને અમદાવાદ ચાતુમાંસ મોકલ્યા. એ વખતે આચાર્ય તુલસી અમદાવાદમાં ચાતુર્માસ માટે આવ્યા હતા. તેઓ અનુકંપામાં માને નહિ...
આપણો સંઘ મહાન છે. છતાં બધા વિવિધ પ્રકારના ગચ્છ, મતમાં વહેંચાયેલો છે. એક થવું, સંગઠિત થવું જરૂરી છે છતાં સિદ્ધાંતો ન છોડાય. ગીતાર્થોને માથે બહુવિકટ સમસ્યાઓ છે પણ એ ગીતાર્થો ગુરુકૃપાના બળે બધુ વ્યવસ્થિત સાચવે છે. - આચાર્ય તુલસી અમદાવાદ આવ્યા. હવે જો એ રીતે પ્રચાર થાય ને સંઘમાં ૧૦-૧૫ જણા પણ દેટ રીતે એમના મતે બંધાય તો પછી વાતે વાતે સંઘમાં ખલેલ પડે અને એના ભાવિ નુકશાન ભયંકર આવે. માટે ચંદ્રશેખર મ. પર વિશ્વાસ કે તે આપણા શ્વેતાંબરો સાચવશે એટલે એમને ચાતુમસ મોકલ્યા છતાં પણ જ્યારે જ્યારે ચોમાસામાં પત્ર લખે તો ખાસ લખે કે શાસનને જરૂરી બધા કામ કરજે પણ એ સાવધાની રાખજે કે આ. તુલસી પ્રત્યે વ્યક્તિગત અરૂચિ ન થાય.... | મુસલમાનો કહે અમારા સિવાયના બધા કાફર... બધા, ધર્મોએ બીજા ધર્મની ખાંડી છે પણ જેન ધર્મ કહે કે અન્યધર્મમાં પણ ગુણીયલ આત્માની અનુમોદના કરવી. આપણા આત્મામાં સંકલેશ થાય એમ ન કરવું. કોઈનાય પ્રત્યે અસદ્ભાવ ન થાય તે ખાસ જોવાનું.. અહીં બહુ સંભાળવાનું છે તોફાની દરિયામાં નાવ ચલાવવાની છે.
૯ For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org