SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાપનીયતા હતી, હૈયામાં વાત ઉતરી ગઈ.... શાસનના પ્રત્યનિક પ્રત્યે પણ દ્વેષ, અરૂચિ, અસદ્ભાવ ન જોઈએ. તમારા હૃદયમાં ખરાબ ભાવ હોય તો તમે શાસનને બચાવશો પણ તમારો આત્મા મલિન બની જશે. આ તે તત્વદ્રષ્ટિ અહીં જુઓ કે રાવણ પ્રતિવાસુદેવ છે. હજારો વિધા સાધી છે.ત્રણ ખંડ જીતવા નીકળ્યો છે. અંતે વાલીને જીતવાનો છે. રાવણ કહે, મારી આજ્ઞા સ્વીકારી લ્યો. વાલી કહે, મેં તો અરિહંતની આજ્ઞા માથે રાખી છે, હવે બીજાની આજ્ઞા ન જોઈએ. રાવણ કહે - તો પછી યુદ્ધ કરવા તૈયાર થાવ- બેય યુદ્ધના મેદાનમાં લડે છે. આ વખતે ક્યારેય પણ પરાભવ નહિ પામેલો રાવણ પહેલી વાર પરાભવ પામે છે. એનું મોં શરમથી નીચું ઢળી જાય છે... પણ આ વખતે વાલી વિચારે છે કે આટલા મોટા માનવીની પણ આજે આ દશા ! આ રીતે એને પણ અપમાનિત થવું પડયું. વાસ્તવમાં આ સંસાર જ દુઃખરૂપ છે. એમ વિચારી વાલીએ યુદ્ધભૂમિ પર જ ચારિત્ર લીધું. તત્વજ્ઞ અને વિવેકીની દૃષ્ટિ સાવ જુદી જ હોય છે. તેનો દિકરો રાવણને તાબે થઈ ગયો ને રાવણ ત્રણ ખંડનો રાજા થઈ ગયો. રાવણ મુનિ પર ઉપદ્રવ કરે છે. હવે વિચરતા વિચરતા વાલી મુનિ એક વાર અષ્ટાપદ પર્વત પર ધ્યાનમાં ઉભા છે. રાવણ આકાશમાર્ગે જતો હતો. પણ વાલીમુનિના તપના પ્રભાવે તેનું વિમાન રખલના પામે છે. Jain Education International ૯૦ For Personal Private Use Only www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy