________________
પ્રજ્ઞાપનીયતા હતી, હૈયામાં વાત ઉતરી ગઈ....
શાસનના પ્રત્યનિક પ્રત્યે પણ દ્વેષ, અરૂચિ, અસદ્ભાવ ન જોઈએ. તમારા હૃદયમાં ખરાબ ભાવ હોય તો તમે શાસનને બચાવશો પણ તમારો આત્મા મલિન બની જશે.
આ તે તત્વદ્રષ્ટિ
અહીં જુઓ કે રાવણ પ્રતિવાસુદેવ છે. હજારો વિધા સાધી છે.ત્રણ ખંડ જીતવા નીકળ્યો છે. અંતે વાલીને જીતવાનો છે. રાવણ કહે, મારી આજ્ઞા સ્વીકારી લ્યો. વાલી કહે, મેં તો અરિહંતની આજ્ઞા માથે રાખી છે, હવે બીજાની આજ્ઞા ન જોઈએ. રાવણ કહે - તો પછી યુદ્ધ કરવા તૈયાર થાવ- બેય યુદ્ધના મેદાનમાં લડે છે. આ વખતે ક્યારેય પણ પરાભવ નહિ પામેલો રાવણ પહેલી વાર પરાભવ પામે છે. એનું મોં શરમથી નીચું ઢળી જાય છે... પણ આ વખતે વાલી વિચારે છે કે આટલા મોટા માનવીની પણ આજે આ દશા ! આ રીતે એને પણ અપમાનિત થવું પડયું. વાસ્તવમાં આ સંસાર જ દુઃખરૂપ છે. એમ વિચારી વાલીએ યુદ્ધભૂમિ પર જ ચારિત્ર લીધું. તત્વજ્ઞ અને વિવેકીની દૃષ્ટિ સાવ જુદી જ હોય છે. તેનો દિકરો રાવણને તાબે થઈ ગયો ને રાવણ ત્રણ ખંડનો રાજા થઈ ગયો.
રાવણ મુનિ પર ઉપદ્રવ કરે છે.
હવે વિચરતા વિચરતા વાલી મુનિ એક વાર અષ્ટાપદ પર્વત પર ધ્યાનમાં ઉભા છે. રાવણ આકાશમાર્ગે જતો હતો. પણ વાલીમુનિના તપના પ્રભાવે તેનું વિમાન રખલના પામે છે.
Jain Education International
૯૦
For Personal Private Use Only
www.jainelibrary.org