________________
દુષ્કૃતગહ, why? જીવ ઘણું રખડયો કારણ એની પાસે અધ્યાત્મ ન હતું. આ અધ્યાત્મ ચરમાવતમાં જ આવે. અચરમાવતમાં એ ના હોય. અધ્યાત્મ એટલે આત્માની પ્રીતિ, શુદ્ધ સ્વરૂપનું ભાન, તત્વની શ્રદ્ધા. અચરમાવતમાં આ ન હોય. તેના ૩ કારણ બતાવે છે (૧) કે જીવને હજુ ઘણા ભવો ભટકવાનું બાકી છે એટલે (૨) આત્માની અતિશય મલિનતા છે, ભવ્યત્વની અપરિપકવ અવસ્થા છે અને (૩) અતત્વ અભિનિવેશ. અતત્વનો આગ્રહ, કદાગ્રહ.
પ્રજ્ઞાપનીયતા જોઈશે. અતત્વની જબરજસ્ત પક્ક તે પણ પ્રગતિમાં અવરોધક છે. ખોટી વસ્તુ પકડીને ન છોડવી તે કદાગ્રહ. તે માટે જ શાસ્ત્રકારે મોટામાં મોટો ગુણ બતાવ્યો પ્રજ્ઞાપનીયતા. આરાધક આત્મામાં આ પહેલી યોગ્યતા જોઈએ. પ્રજ્ઞાપનીય હોય તો ગુરુની વાત હૃદયમાં ઉતરી જાય.. તે ન હોય તો સંચમ -તપ ચારિત્ર બધુ નકામું થઈ જાય.
હરિભદ્રસૂરિ મહારાજ કેટલા આવેશમાં ચઢી ગયા ? ૧૪૦૦ બૌદ્ધોને કાગડા બનાવીને ઉકળતા તેલમાં તળવાનું કાંઈ સામાન્ય કોટિનું પાપ નથી પણ પ્રજ્ઞાપનીયતા હતી. ગુરુના માત્ર ૩ શ્લોક આવ્યા એમાં છેલ્લે લખ્યું , તો મોવડ્યો, વિયર્સ મત સંસારો, કષાયના ઉપશમના કારણે એકનો મોક્ષ ને કષાયની આધિનતાથી બીજાનો અનંત સંસાર.
(૬)
ક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org