SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ બહુ સાહેબો જાણે એક જ જીગરમાંથી ઉતપન થએલા હોય તેવા એખલાસથી વેપારનું મહાભારત કામ એકસરખાં વિચારથી જે સંપુરણ રીતે તેઓ પાર ઉતારી સખતા હતાં તેનું વરણન જેટલું જણાવીએ તેટલું થોડું જ કહેવાએ કેમકે તે વખત ઉપર પારસીઓમાં જેમ મરહુમ બારોનેટ સાહેબ તેમજ હીંદુઓમાં આ મોતીશાહ શેઠ પહેલે વાગેના પરમાણીક વેપાર તથા વહાણાંવટી ગણતા હતાં અને તે સાહેબોના બોહલા વેપારને લીધે હજારો માણસોની રોજી બી ચાલતી હતી. તેમાં નાતજાતનો કશોએ અંતરો જાણે આવે ના. સરવેની સરખી આંખે જોઈને મહેરબાણ દિલથી પાલતાં હતાં. એટલું જ નહિ પર પરજા (પ્રજા) ઉપયોગીના હરકોઈ કામમાં બી સરવેથી પહેલાં દરજ્જાની આગેવાની તેઓ જ લેતા હતાં.” ઉદારતાના પ્રેરક પ્રસંગો પોતાના ઉપર જાણતા-અજાણતાં કોઈએ પણ કરેલા નાના-મોટા ઉપકારની ખબર પડે તો તેનો બદલો કેમ વાળવો એની લગની શેઠ મોતીશાહને હંમેશાં રહેતી. એક પ્રસંગ યાદગાર છે. તેમને અમદાવાદના શેઠ હઠીસંગ કેસરીસંગ સાથે કૌટુમ્બિક સંબંધ હતો. શેઠ હઠીસંગે જ્યારે ગિરનારનો સંઘ કાઢયો હતો ત્યારે ચોરવાડ ગામે સંઘના અને ગામના માણસો માટે પોતાના તરફથી જમણવાર કર્યો. પરંતુ એ જમણવાર શેઠ મોતીશાહ તરફથી છે એવું એમણે નોતરું ફેરવ્યું હતું. એ જમણ પેટે એમણે રૂપિયા સાત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005668
Book TitleSheth Moti Shah
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2002
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy