________________
મસ્તીમાં જીવતા હશે તેઓ તે સંમેલનના ઠરાના હાર્દને અને સ્વરૂપને પકડશે જ; અને તે રીતે જ વર્તશે. એટલે આવા બેટા ભય ક૯પવાનું યોગ્ય જણાતું નથી.
જ્યાં જે ભય વાસ્તવિક હોય ત્યાં પણ જે લાભ વિશેષ હોય તે ભયને પાર કેમ ઊતરી જવું તે જ વિચારવું જોઈએ, પણ ભયની કલ્પનાથી મોટો સંભવિત લાભ ગુમાવ એ યોગ્ય ન ગણાય.
ઘણાં વર્ષોથી કેટલેય ઠેકાણે સ્વપ્નદ્રવ્યની આવક સંપૂર્ણ સાધારણમાં કે ૧૦ આની યા ૬ આની સાધારણમાં જતી હતી ત્યારે પણ તેની સામે સેળે ય આની રકમ દેવદ્રવ્યમાં ચાલુ રાખવાનું કાર્ય તે પ્રમાણેએ કર્યું જ છે. આજે પણ શક્તિસંપન્ન સંઘે માટે તે જ વ્યવસ્થા જળવાઈ રહેવાની છે. નિરર્થક ભયે ઊભા કરીને સંમેલનના શ્રમણને બદનામ કરવાની વાત બિલકુલ ઈચ્છનીય ન ગણાય.
ઉપસંહારમાં એટલું જણાવવું ઠીક લાગે છે કે સંમેલનના ઠરાવ સામે હોહા કરી મૂકતા અને તે માટે અદાલત અને અખબારને આશ્રય લઈને શ્રીસંઘના લાખે રૂ. ખર્ચ કરી ચૂકેલા મહાત્માઓ સહુ પ્રથમ પિતાના પ્રત્યે પૂજ્યભાવ ધરાવતા સંઘેમાં દેવદ્રવ્યના ત્રણ ખાતા પડાવે; તેની બીજામાં થતી ભેળસેળ સદંતર બંધ કરાવે; ભૂતકાળની ભૂલની રકમ તે તે રીતે ખાતે જમા કરાવીને તે તે સંઘને દોષમાંથી ઉગારે. . બીજુ; બિનજરૂરી સ્થળમાં નવા જિનમંદિરના કે તીર્થોના થનાર નિર્માણમાં કે ચાલુ કાર્યમાં આજથી જ દેવદ્રવ્યનું ધન લગાડવાનું બંધ કરી દેવાનું પિતાના ભક્તોને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org