________________
અપાય છે
મહારાજ સાહેબના આગમત પુસ્તક બીજું ૫. નં. ૨૬, ૨૭ ઉપર તે તે મહાપુરુષે એ આશયનું સ્પષ્ટ જણાવ્યું છે કે, “જિનમંદિરને પૂજારી કાંઈ ગૃહસ્થના છોકરાને તેડીને ફરવા માટે રાખ્યો નથી. જે તેને જિનભક્તિ માટે રાખવામાં આવ્યું હોય તે તેને દેવદ્રવ્ય [કલ્પિતમાંથી પગાર આપી શકાય. કેમકે જિનભક્તિ માટે જે એકઠું કરેલું [કલિત) દ્રવ્ય છે તેમાંથી જિનભક્તિ કરતા પૂજારીને પગાર આપવામાં દેવદ્રવ્યના ભક્ષણને સવાલ આવતું જ નથી. જે જિનભક્તિ માટે બનાવતા ચૈત્યના આરસ, હીરા, મેતી, ઈટ, ચૂને વગેરેની ખરીદીમાં દેવદ્રવ્યની રકમ અપાય છે તે માળી પૂજારીને કેમ ન અપાય? આવી બાબતમાં “દેવદ્રવ્યનું તમે પૂજારીને ભક્ષણ કરાવી દે છે,” એમ કહેનારા કેટલા મૃષાવાદી ગણાય?”
આવા આશયનું લખાણ આગમતમાં પૂજ્યશ્રીએ ફરમાવ્યું છે. અહીં પણ સંમેલનને ઠરાવ એ વાત તે સૂચવે છે જ કે જે તે સંઘ કે શ્રાવક શક્તિમાન વગેરે હોય તે તેમણે આ બાબતને આશ્રય લેવાનું બિલકુલ યોગ્ય નથી.
આમ આ બે મહાપુરુષોના વિચાર ઉપરથી નક્કી થાય છે કે સ્વપ્નાદિની ઉછામણીની રકમ પૂજા-દેવદ્રવ્યમાં ન લેતાં કલ્પિત-દેવદ્રવ્યમાં જ લઈ જવી જોઈએ. કેટલાકે એમ કહે છે કે, “આ રકમ પૂજા–નિર્માલ્ય અને કલ્પિત માંથી એકેયમાં ન લઈ જતાં બેલી દેવદ્રવ્ય નામને થે પિટાભેદ ઊભું કરીને તેમાં આ રકમ લઈ જવી જોઈએ.”
જ પૂજારીને ભાન ન અપાય?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org