________________
૨૮
વળી સવાલ એ પણ થાય છે કે જે સ્વપ્ન, ઉપધાનાદિ બેલી, ચડાવાની રકમને કલ્પિત દેવદ્રવ્ય ખાતે નહિ ગણાય તે તે શું પૂજા દેવદ્રવ્ય ખાતે ગણાશે? જે તેમ ગણવું હોય તે તે કઈ શાસ્ત્રપાઠ છે ખરે? જો કોઈ શાસ્ત્ર પાઠનું તેવું અર્થઘટન કરીને ઉક્ત બેલી–ચડાવાની ૨કમને પૂજા-દેવદ્રવ્યમાં લઈ જવાનું કહેવાતું હોય તે હવે આ નિર્ણય કોણ કરશે ? કે ઉક્ત બેલીનું દ્રવ્ય પૂજા–દેવદ્રવ્યમાં લઈ જવું કે કપિત-દેવદ્રવ્યમાં? [અમારા મતે તે પૂજાદિ કાર્યો માટે ભેટ મળેલી રકમ તે પૂજા દેવદ્રવ્ય છે અને જિનમંદિરના નિર્વાહ માટેનાં સાધનો દ્વારા કે સીધી રીતે ભેટ મળેલી રકમ તે કલ્પિત દેવદ્રવ્ય છે]
આ વાદના નિર્ણાયક તરીકે આ વિષયમાં બે મહા ગીતાર્થ મહાત્માઓ છે. જે બને સ્વપ્નાદિનાં બલી ચડાવાના દ્રવ્યને કરિપત દેવદ્રવ્યમાં લઈ જવાનું સ્પષ્ટ જણાવે છે. એમાં એક મહાપુરુષ છે, પૂજ્યપાદ સ્વર્ગસ્થ આગદ્ધારક સાગરા નન્દસૂરીશ્વરજી મહારાજા સાહેબ કે જેમણે આ વાત સ્પષ્ટ શબ્દોમાં સુરતના આગમમંદિરના બંધારણમાં જણાવી છે, જે લખાણ અક્ષરશઃ નીચે મુજબ છેઃ
ટ્રસ્ટીઓને યોગ્ય લાગે તે મુજબ તેઓ નીચે મુજબના જૈનશાસ્ત્ર અનુસાર આ સંસ્થા હસ્તકના તથા બીજા જૈન દહેરાસર અંગે આ સંસ્થાનાં નાણું ખરચી શકશે. જોકે તરફથી, આ સંસ્થાને મદદ મળે અને આ નિભાવ ફંડના રૂ. ૨,૫૦,૦૦૦ ભેગા થયા તથા બોલી ઇત્યાદિ નીચે મુજબ દેવદ્રવ્યમાં રૂ. ૨,૫૦,૦૦૦ ભેગા થયા તે પછી વહીવટ ખરચ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org